Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08: દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ ખાતેની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ ખાતે રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી મીનાબેન વરઠા અને શ્રી રમેશ માહલાએ પ્રદેશમાં સૌથી જરૂરી એવા હૃદયરોગ અને કેન્‍સરની સારવાર શરૂ કરવા માટે નિયમિત કાર્ડિયોલોજિસ્‍ટ અને ઓન્‍કોલોજીસ્‍ટની ભરતી કરી શરૂ કરવા માટે પ્રસ્‍તાવ મુક્‍યો હતો. આ દરખાસ્‍તની કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ સરાહના કરી હતી અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં હૃદયરોગ અને કેન્‍સરનીસારવાર જલ્‍દીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો હતો. બેઠકમાં જિલ્લા પંચાયત સભ્‍યો, આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો.વી.કે.દાસ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

નરોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ: આકસ્‍મિક રીતે લાગતી આગને ઓલવવાની વિદ્યાર્થીઓને બતાવેલી વ્‍યવહારૂ રીત

vartmanpravah

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે ત્રણ દિવસ પૂર્વે થયેલા અકસ્માતમાં સ્થાનિક યુવાનોએ આસપાસના સીસીટીવીના ફૂટેજથી અકસ્માત કરનાર પીકઅપ ચાલકને શોધી કાઢ્યો

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

Leave a Comment