February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલીના નરોલી ગામે શ્રી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામા આવ્‍યો છે. વ્‍યાસપીઠ ઉપરથી પરમ પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કૃપાપાત્ર શિષ્‍ય પૂ.શ્રી હરેશભાઈ ભોગાયતાની ઓજસ્‍વી વાણી દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવશે. આજે રવિવારના રોજ બપોરે અઢી વાગ્‍યે શ્રી ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણના નિવાસસ્‍થાનેથી ભવ્‍ય પોથીયાત્રા નીકળી હતી અને આ પોથીયાત્રા બાલેશ્વર મહાદેવ મંદિર જ્ઞાનયજ્ઞ સ્‍થળે પહોંચી હતી. આ જ્ઞાનયજ્ઞમાં વામન અવતાર, શ્રી રામ જન્‍મ, શ્રી કૃષ્‍ણ જન્‍મ, ગોવર્ધન લીલા, રૂક્ષમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો પ્રસ્‍તુત કરાશે. કથાનો સમય બપોરે 3:00વાગ્‍યાથી સાંજે 6:00વાગ્‍યાનો છે. કથા વિરામ 14 જાન્‍યુઆરી શનિવારના દિવસે કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી હરિહર ભાગવત સેવા સમિતિ નરોલી દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

Related posts

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

vartmanpravah

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં ચાલી રહેલા સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે 2023 અંગે દમણ સચિવાલયમાં યોજાયેલી પત્રકાર પરિષદ: આરોગ્‍ય સેવાઓ સુધારવા માટે શ્રેષ્ઠ નીતિ તૈયાર કરવાનો પ્રયાસઃ આરોગ્‍ય સચિવ ટી. અરૂણ

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

દમણના 24 ગામો અને ન.પા.ના 15 વોર્ડમાં પૂજીત અક્ષત પહોંચાડવાની આર.એસ.એસ. અને વી.એચ.પી.એ શરૂ કરેલી કામગીરી

vartmanpravah

Leave a Comment