Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

દૃશ્‍યો જોઈ વાહન ચાલકો તથા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: કપરાડા નાસિક હાઈવે કુંભઘાટથી નાનાપોંઢા સુધી આશરે 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ હતી. આવતા-જતા વાહનો આ દૃશ્‍ય જોઈ અચરજમાં મુકાઈ જતા જોવા મળી રહ્યા હતા.
કુંભઘાટથી નાનાપોંઢા સુધી પાંચ કિલોમીટર રોડ ઉપર આજે નિરોધ-કોન્‍ડોમ ઠેર ઠેર પથરાયેલ હોવાની વિચિત્ર ઘટના ઘટી હતી. લોકો આવતા-જતા આ દૃશ્‍ય જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. જૈવિક કચરો કોન્‍ડોમ પથરાયેલ જોવા મળતા લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બાદમાં બપોરે સ્‍થળ ઉપર એક ટેમ્‍પો દ્વારા કોન્‍ડોમ ભરવાની કામગીરી થતી જોવા મળી હતી. ટેમ્‍પો ડ્રાઈવરને લોકોએ પૂછ્‍યુ તો જણાવેલ કે અમારા શેઠએ અમદાવાદ લઈ જવાનું જણાવેલ છે પરંતુ સ્‍થાનિક અગ્રણીઓએ ઘટનાની પોલીસ અને આરોગ્‍ય વિભાગે તળીયાઝાટક તપાસ કરવાની માંગણી કરી હતી.

Related posts

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા મનોમંથન કરાયું

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

vartmanpravah

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

Leave a Comment