March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

દૃશ્‍યો જોઈ વાહન ચાલકો તથા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: કપરાડા નાસિક હાઈવે કુંભઘાટથી નાનાપોંઢા સુધી આશરે 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ હતી. આવતા-જતા વાહનો આ દૃશ્‍ય જોઈ અચરજમાં મુકાઈ જતા જોવા મળી રહ્યા હતા.
કુંભઘાટથી નાનાપોંઢા સુધી પાંચ કિલોમીટર રોડ ઉપર આજે નિરોધ-કોન્‍ડોમ ઠેર ઠેર પથરાયેલ હોવાની વિચિત્ર ઘટના ઘટી હતી. લોકો આવતા-જતા આ દૃશ્‍ય જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. જૈવિક કચરો કોન્‍ડોમ પથરાયેલ જોવા મળતા લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બાદમાં બપોરે સ્‍થળ ઉપર એક ટેમ્‍પો દ્વારા કોન્‍ડોમ ભરવાની કામગીરી થતી જોવા મળી હતી. ટેમ્‍પો ડ્રાઈવરને લોકોએ પૂછ્‍યુ તો જણાવેલ કે અમારા શેઠએ અમદાવાદ લઈ જવાનું જણાવેલ છે પરંતુ સ્‍થાનિક અગ્રણીઓએ ઘટનાની પોલીસ અને આરોગ્‍ય વિભાગે તળીયાઝાટક તપાસ કરવાની માંગણી કરી હતી.

Related posts

આસ્‍થા : દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

બારસોલ ગામે ફરજ ઉપરના જી.ઈ.બી.ના કર્મચારીને માર મારવાના ગુનામાં ૩ આરોપીઓને ધરમપુરના જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટે ત્રણ વર્ષની સજા ફટકારી

vartmanpravah

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી ભીમપોર કેસર ઈન્‍ડસ્‍ટ્રીઝ પાસેની અજય ભુલા પટેલની ચાલમાં યોજાયેલી કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

Leave a Comment