Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

ફાયર એન.ઓ.સી. ક્‍યારનીય સરકારે ફરજિયાત કરી છે તો કાર્યવાહી કરવાની અચાનક ફુરસદ કેમ?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી નગરપાલિકા વિસ્‍તારમાં પાલિકા અધિકારીઓએ જે મિલકતો પાસે ફાયર એન.ઓ.સી. નહોતી તેવી મિલકતો અચાનક સીલ મારવાનું અભિયાન ચલાવ્‍યું. જેના ઘેરા પ્રત્‍યાઘાત મિલકત ધારકોમાં પડયા છે. કારણ કે નોટિસ આપ્‍યા વગર જ મિલકતો સીલ કરી દેવાનું શુરાતન કેમ ચઢયુ તેનો જવાબ આપવા અધિકારીઓને ફુરસદ જ નથી.
આ ઘટના પરિપેક્ષમાં મુળ કારણ જે જાણવા મળ્‍યું છે એ છે કે અમદાવાદમાં આગનીમોટી દુર્ઘટના ઘટી એટલે સરકારે તાત્‍કાલિક પરિપત્ર બહાર પાડી દીધો. સરકાર પણ ઊંઘતી ઝડપાઈ છે કારણ કે સુરત તથશીલા અને અમદાવાદની હોસ્‍પિટલમાં આગના મોટા બે બનાવો બન્‍યા બાદ તાત્‍કાલિક અસરથી જે તે ટાઈમે ફાયર એન.ઓ.સી. ફરજીયાત કરી દેવાઈ હતી તે પછી નાટકીય અમલવારી થઈ પછી જે તે પાલિકા અને મહાનગરપાલિકા વાળા મીઠી નિંદરે ચઢી ગયા હતા. હવે ફરી અકસ્‍માત બાદ ફરી નવો પરિપત્ર ફાયર એન.ઓ.સી.નો આવતા વાપી, વલસાડની પાલિકાઓ એન.ઓ.સી. વગરની મિલકતો સીલ કરવાની પવન વેગી કાર્યવાહી શરૂ કરી દીધી. મિલકત ધારકોને નોટિસો પણ ફળવાઈ નથી તેવુ મિલકત ધારકો હાલ પણ કકળાટ કરી રહ્યા છે.

Related posts

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah

શ્રી સરદાર પટેલ યુવા મંડળ વાપી દ્વારા નૂતન નગરમાં બનાવેલ ગાર્ડનનું નામકરણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવા બાબતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરાઈ

vartmanpravah

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્‍થો ભરેલા બે કન્‍ટેનર ઝડપાયા

vartmanpravah

Leave a Comment