(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06
દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં આજે ભારતના બંધારણ નિર્માતા ‘ભારત રત્ન’ ડો. બાબા સાહેબ આંબેડકરના 66મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી દમણ શાખાના નિવૃત્ત ચીફ મેનેજર શ્રી ગણેશભાઈ પટેલ, પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, શ્રી વિપુલ રાઠોડ, શ્રી રોહિત ગોહિલ, શ્રી સુલેખ દમણિયા સહિત ગ્રામ પંચાયત વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.