March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

દર વર્ષે વાપી જીઆઈડીસી તથા ટાઉન વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાવાની અને માર્ગ ખરાબ થવાની સમસ્‍યાથી સૌ કોઈ પરેશાન બનતા

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.21
વાપીમાં વિકાસના કામો થઈ રહ્યા છે. વાપીના માર્ગોની પહોળાઈ વધારવાની સાથે સાથે ગટર અને પાણીની લાઈનો પણ પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યા ઉદ્‌ભવતી હતી અને માર્ગો પણ ખખડધજ હાલતમાં જોવા મળતા હતા અને માર્ગ સાંકડો હોવાથી ટ્રાફિક સમસ્‍યા પણ સર્જાતી હતી. આ સમસ્‍યા હળવી કરવા માટે જવાબદાર વિભાગની ટીમ દ્વારા માર્ગ પહોળાઈ કરવાની સાથે ગટરલાઈન પસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વાપી ઔદ્યોગિક નગરી છે. વાપી ને.હા.નં.48 થી રેલવે તરફ આવતા ફર્સ્‍ટ ફેઝ આવેલ છે. આ માર્ગ વાપી જે ટાઈપ, નવા રેલવે ગરનાળાને જોડનારો છે. અત્રે નોંધનીય છે કે, વાપી ફર્સ્‍ટ ફેઝના માર્ગો ખરાબ બનવાની સાથે દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાતી રહે છે. ભારે વરસાદને પગલે માર્ગ ગરક થઈ જતા હોય છે અને વાહનોની અવરજવર બંધ થઈ જાય છે. તો બીજી તરફ વાપી નવા રેલવે ગરનાળામાં પણ દરચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્‍યા સર્જાતી રહે છે. આ બધી સમસ્‍યાઓને ધ્‍યાને લઈ જવાબદાર વિભાગની ટીમ દ્વારા વાપી ને.હા.નં.48 ના ફર્સ્‍ટ ફેઝથી વાપી નવા રેલવે ગરનાળા સુધીના માર્ગોની પહોળાઈની કામગીરી તથા માર્ગની બંને બાજુએથી પસાર થયેલી ગટરલાઈનનું સમારકામ પણ ચાલી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્‍ય વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવેલી ન હોવાથી દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્‍યા ઉદ્‌ભવતી હતી.
અત્રે નોંધનીય છે કે, વાપી રેલવે ઓવરબ્રીજની પણ કામગીરી હાથ ધરાવાની હોવાથી વાહનચાલકો તથા સ્‍થાનિકોને પરેશાની ન પડે તેને ધ્‍યાને લઈ જવાબદાર વિભાગની ટીમ દ્વારા સર્વે કરી ડાયવર્ઝન આપવા માટે માર્ગ પણ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ વાપી ટાઉન બજારમાં પણ ગટરલાઈનની કામગીરી ચાલી રહી છે. વાપી શાકભાજી બજાર, રેલવે લાઈનવાળી ગલી સહિત મચ્‍છી માર્કેટમાં ગટરલાઈન પાથરવામાં આવી રહી છે. નોંધનીય છે કે,
આ ખોદકામને લઈ માર્ગો બંધ કરવા પડી રહ્યા છે અને કામગીરી પૂર્ણ થયા બાદ તેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. આ ગટરલાઈન બાદ ખરાબ માર્ગોનું સમારકામ હાથ ધરવામાં આવશે.

Related posts

દીવમાં જલારામ મંદિરનો 28મો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

આજે વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં શિક્ષક દિન ઉજવાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

કપરાડા તાલુકાના સિલધા હાટ બજારમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા સાફ સફાઈ કરી

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રિન્‍સિપાલ અને શિક્ષકોનું શાલ ઓઢાડી ગુલદસ્‍તો આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment