Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

યુવાનો વિદેશથી પરત ફરી મુંબઈ એરપોર્ટથી ઈનોવા કારમાં સુરત જઈ રહ્યા હતા ત્‍યારે સર્જાયેલો અકસ્‍માતઃ બે લોકોને ગંભીર ઈજા થતાં સુરતની હોસ્‍પિટલમાં ખસેડાયાઃ કારનો કચ્‍ચરઘાણ થઈ ગયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ચીખલીના આલીપોર બ્રિજ ઉપર સોમવારની વહેલી સવારે કન્‍ટેઈનર અને ઈનોવા કાર વચ્‍ચે સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં ઈનોવા કાર ડિવાઈડર કુદી સામેના ટ્રેક ઉપર ધસી જઈ કન્‍ટેઈનર સાથે અથડાતા કારમાં સવાર ચારના સ્‍થળ ઉપર મોત નિપજ્‍યા હતા. જ્‍યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સુરત હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની સવારના સાડા પાંચ થી છ વાગ્‍યાના સમય દરમ્‍યાન ચીખલીના આલીપોર નેશનલ હાઈવે નં. 48 ઉપર ઓવરબ્રિજ ઉપર મુંબઈ થી સુરત જઈ રહેલ ઈનોવા કાર નં.જીજે-06-એફસી-2754ના ચાલકે પોતાના કબ્‍જાની ઈનોવા કાર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્‍ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઈનોવા કાર ડિવાઈડર કુદી ચીખલી તરફ આવી રહેલ કન્‍ટેઈનર નં.જીજે-15-એવી-6854 સાથે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માત દરમ્‍યાન બે વ્‍યક્‍તિઓ બહાર ફેંકાઈ જવા પામ્‍યા હતા. જ્‍યારેઅન્‍ય ચાર કેટલા કારની અંદર ફસાઈ જવા સાથે લોહી લુહાણ હાલતમાં પોલીસ અને સ્‍થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્‍યા હતા.
અકસ્‍માતમાં ઈનોવા કારના ચાલક મહમદ હમજા મહમદ હનીફભાઈ ઈબ્રાહીમભાઈ પટેલ (ઉ.વ20) (રહે.115- એ9 કોસાડ આવાસ ભરથાણા સુરત), ગૌરાંગ નંદલાલ અરોરા (ઉ.વ40) (રહે. 92સુભાષ નગર ઘોડદોડ રોડ સુરત), અમિત દોલતરામ થડાની (ઉ.વ41) (રહે. સી106 વાસ્‍તુગ્રામ એપાર્ટમેન્‍ટ હેપ્‍પી રેસિડેન્‍સી પાછળવેસુ સુરત) તથા રોહિત સુભકરણ માહલુ (ઉ.વ40) (રહે.પ્‍લોટ નં:3 સાંઈ આશિષ સોસાયટી સુરત) એમ ચાર જેટલા યુવાનોના સ્‍થળ પર જ મોત નિપજયા હતા. જ્‍યારે ગંભીર ઈજાગ્રસ્‍ત રિષી અરૂણકુમાર અન્‍જિનીયર (ઉ.વ42) (રહે.12એ મેઘદૂત સોસાયટી ઉમરા પોલીસ સ્‍ટેશન પાછળ અઠવાલાઇન્‍સ સુરત), વિકાસ રતનભાઈ સરાફ (ઉ.વ41) (રહે.એમ81 સોમેશ્વર એંકલેવ સુરત)ને સારવાર અર્થે સુરત હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.
ઉપરોક્‍ત અકસ્‍માતના બનાવમાં ઈનોવા કારને વ્‍યાપક નુકસાન થયું હતું. બનાવ અંગેની જાણ થતાં સુરત થી મરનારના પરિવારજનો, સંબંધીઓ મોટી સંખ્‍યામાં ચીખલીની સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલમાં ધસી આવ્‍યા હતા અને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું એક સાથે ચાર જેટલાના મોતથી ગમગીની ફેલાઈ જવા પામી હતી. પોલીસે કન્‍ટેઈનરના ચાલક અશોકકુમારકપિલદેવ રાજપૂત (રહે.ખેરા તા.ભાનપુર જી.બસ્‍તી યુપી) ની ફરિયાદ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના ઉપરોક્‍ત યુવાનો વિદેશ પ્રવાસ કરી મુંબઈ એરપોર્ટ પરથી ભાડેથી ઈનોવા કારમાં સુરત પરત જઈ રહ્યા હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

જલાલપોર તાલુકા પંચાયતનું ખાતમુહૂર્ત કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલ એક વ્‍યક્‍તિનું મોત થયાં બાદ મોટી દમણના સામુદાયિક આરોગ્‍યકેન્‍દ્રના સભાખંડમાં ડેન્‍ગ્‍યુ તાવની જાગૃતિ અંગે કર્મચારીઓને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment