Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: મળેલ માહિતી મુજબ સેલવાસના યાત્રી નિવાસ નજીકથી પસાર થતા નાળામાંથી એક યુવાનની લાશ પડેલ હોવાની જાણકારી સેલવાસ પોલીસને મળતા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને લાશને નાળામાંથી બહાર કાઢયા બાદ તપાસ કરતા ત્રણ દિવસ પહેલા બાલાજી ટાઉનશીપમાંથી ગુમ થયેલ યુવાનની હોવાનું જાણવા મળ્‍યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર યાત્રિનિવાસ પાસેથી પસાર થતા નાળામાંથી એક વ્‍યક્‍તિની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને યુવકની લાશને નાળામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી આવી હતી. અજાણ્‍યા વ્‍યક્‍તિની ઓળખ માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃત વ્‍યક્‍તિની ઓળખ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળીગયેલ હોવાનું નામે દુર્ગા પ્રસાદ જે સેલવાસ ખાતે આવેલ બાલાજી ટાઉનશિપમાં રહેતો હતો અને માનસિક રીતે અસ્‍થિર હતો. જે અંગેની જાણવા જોગ ફરિયાદ સેલવાસ પોલીસ મથકે નોંધાઈ હતી.
પી.એમ. રિપોર્ટ અનુસાર અસ્‍થિર મગજના યુવકનું મોત પાણીમાં ડૂબવાના કારણે થયું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

vartmanpravah

સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે B.Sc. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઈ

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

સેલવાસના યુવકે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah

Leave a Comment