Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર ટેમ્‍પોચાલકે મોપેડ સવારને મારેલી ટક્કર

મોપેડચાલક સંદિપકુમાર પ્રજાપતિનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ પર સ્‍વામિનારાયણ મંદિર નજીક પુરઝડપે હંકારી રહેલ ટેમ્‍પોચાલકે એક મોપેડ સવારને જોરદાર ટક્કર મારતા મોપેડ અને તેનો ચાલક ટેમ્‍પાના ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્‍થળ ઉપર જ મોત કમકમાટીભર્યું મોત થતાં ચકચાર ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સંદિપકુમાર રમેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.29) રહેવાસી નરોલી, જે નોકરી પરથી છુટી પોતાના ઘર તરફ મોપેડ નંબર ડીડી-01 બી-8760 પર જઈ રહ્યા હતા. તે સમયે ટેમ્‍પો નંબર જીજે-15 એક્‍સએક્‍સ-1977ના ચાલકે મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારતામોપેડચાલકનું બેલેન્‍સ બગડી ગયું હતું અને સીધા ટેમ્‍પોના ટાયરમાં એનું માથું આવી ગયું હતું. ટેમ્‍પોચાલક ટેમ્‍પો લઈને ફરાર થવાની કોશિશ કરતા રીંગરોડ નજીકથી ટ્રાફિક પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. જ્‍યારે મોપેડચાલક સંદિપકુમાર રમેશભાઈ પ્રજાપતિનું ઘટના સ્‍થળ ઉપર જ મોત થતાં સમગ્ર વિસ્‍તારમાં એરરાટી ફેલાઈ જવા પામી હતી.
અકસ્‍માત સર્જનાર ટેમ્‍પાનો પોલીસે કબ્‍જો લઈ અને ટેમ્‍પોચાલકને પકડી સેલવાસ પોલીસ સ્‍ટેશન ખાતે લઈ જવામાં આવ્‍યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ જગ્‍યા પર વારંવાર અકસ્‍માતની ઘટના બની રહી છે અને ટ્રાફિક જામની સમસ્‍યા પણ ઉદ્‌ભવતી રહે છે. જે સંદર્ભે વિવિધ સંસ્‍થાઓ દ્વારા આ જગ્‍યા પર સ્‍પીડબ્રેકર બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પ્રશાસન દ્વારા આ તરફ ધ્‍યાન આપવામાં આવતુ નથી. જેના કારણે કેટલાયે લોકોના જીવો જઈ રહ્યા છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ અબ્રામા હાઈવે ઉપર ઉભેલા ટ્રેઈલર સાથે ટ્રક ભટકાતા અકસ્‍માત : આઈસરે ક્‍લિનરને ટક્કર મારી

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણઃ સુપ્રીમ કોર્ટમાં સરકારની વિશેષ લીવ પીટિશન નામંજૂરઃ મુંબઈ હાઈકોર્ટ કરશે સુનાવણી

vartmanpravah

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

vartmanpravah

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

દાનહના આદિવાસી ખેડૂતોને વિવિધ પ્રકારની ખેતીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આદિવાસી કલ્‍યાણ વિભાગ દ્વારા ખાનવેલમાં બ્‍લેક રાઈસ (કાળા ચોખા-ડાંગર)ની ખેતી સંદર્ભે પરિચય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment