Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

  • નવા સી.ઓ. બનતા સંગ્રામ શિંદે

  • પ્રદેશ ભાજપે કરેલી રજૂઆતનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં ડિમોલીશન અભિયાન દરમિયાન વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ અપનાવવા નિષ્‍ફળ ગયેલા ચીફ ઓફિસર શ્રી ડો. સુનભ સિંઘની છૂટ્ટી કરવામાં આવી છે અને તેમની જગ્‍યાએ 2020 બેચના નવયુવાન દાનિક્‍સઅધિકારી શ્રી સંગ્રામ સતિષ શિંદેની નિયુક્‍તિ કરવામાં આવી હોવાનો આદેશ આજે બહાર પડાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્‍ટરને મળી ચીફ ઓફિસર દ્વારા લેવામાં આવી રહેલા મનસ્‍વી નિર્ણયો સામે રજૂઆત કરી હતી. સેલવાસ ન.પા. વિસ્‍તારના દુકાનદારોએ પણ બંધ પાળી વિરોધ નોંધાવ્‍યો હતો. જેની ફરિયાદ ઉચ્‍ચ સ્‍તરે પ્રશાસનિક સ્‍તર સુધી પણ પહોંચી હતી. જેના ફળસ્‍વરૂપ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વ્‍યાપક હિતમાં નિર્ણય લઈ સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંઘને હટાવી તેમના સ્‍થાને શ્રી સંગ્રામ સતિષ શિંદેની નિયુક્‍તિનો આદેશ કર્યો હતો.
સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંઘને દાનહ અને દમણ-દીવના સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ વિભાગના નિર્દેશક સહ ઉપ સચિવ તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તદ્‌ઉપરાંત તેમને દાનહ અને દમણ-દીવના જાહેર ફરિયાદ વિભાગના નિર્દેશક સહ ઉપ સચિવની વધારાની જવાબદારી પણ સુપ્રત કરાઈ છે.

દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર તરીકે શિવમ મિશ્રાની નિયુક્‍તિઃ દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર (સામાન્‍ય) બનતા પ્રિયાંશુ સિંહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજેસંઘપ્રદેશ પ્રશાસનમાં કેટલાક દાનિક્‍સ અને આઈ.એ.એસ. અધિકારીઓના પદભારમાં આંશિક ફેરફારનો આદેશ કરવામાં આવ્‍યો હતો. જેમાં દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર ડો. વિવેક કુમારના સ્‍થાને શ્રી શિવમ મિશ્રાની નિયુક્‍તિ કરવામાં આવી છે. તેમને દીવના એસ.ડી.એમ. સહ ડેપ્‍યુટી કલેક્‍ટર ઉપરાંત વિવિધ વિભાગોના અતિરિક્‍ત નિર્દેશક, ઉપ નિર્દેશક તથા ઉપ આયુક્‍તના વધારાના અખત્‍યાર પણ સોંપવામાં આવ્‍યા છે.
2020 બેચના દાનિક્‍સ અધિકારી શ્રી પ્રિયાંશુ સિંહને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર (સામાન્‍ય) ઉપરાંત દાનહ અને દમણ-દીવ લેબર અને એમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના નિર્દેશક સહ ઉપ સચિવ તથા દાનહ અને દમણ-દીવ જાહેર બાંધકામ વિભાગના ઉપ સચિવની પણ વધારાની જવાબદારી સુપ્રત કરાઈ છે.
આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોરને દાનહ-ખાનવેલના આરડીસી ઉપરાંત કરાડની ઈન્‍સ્‍ટ્‍ટયૂટ ઓફ હોટલ મેનેજમેન્‍ટના પ્રિન્‍સિપાલ તરીકેની વધારાની પણ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

બાંગ્‍લાદેશના ડેપ્‍યુટી હાઈ કમિશનર શૈલી સાલેહીન અને સામાજિક સચિવ શબરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વાપી નજીક કરવડમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment