(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રસાશન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા સંદર્ભે પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શનમા અને પર્યટન વિભાગના નિર્દેશક અરુણ ગુપ્તાના સહયોગ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદમીણાના હસ્તે ભુરકુંડ ફળિયા જંકશન વાયા રીંગરોડથી કરવામાં આવ્યું હતું. આ મેરેથોન ભુરકુંડ ફળિયાથી હનુમાન મંદિર બાવીસા ફળિયા સુધી રાખવામાં આવી હતી. જેમાં ખેલાડીઓ સાથે સામાન્ય નાગરિકે પણ ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં બાળકોની દોડમાં પ્રથમ આયુષી ગરેલ, દ્વિતીય સ્નેહલ જશુ અને તૃતીય દિવ્યાંશુ કુમાર જ્યારે છોકરીઓમાં પ્રથમ શ્રુતિ મોર્ય, દ્વિતીય પ્રાચી તુરીયા અને તૃતીય કશિશ કુમારી, છોકરાઓમાં પ્રથમ અમન ઝા, દ્વિતીય અમિત તિવારી અને તૃતીય રઘુ ગોહિત અને પુરુષોની પ્રતિયોગિતામાં પ્રથમ જીતેન્દ્ર કુમાર, દ્વિતીય દીપેશ મિશાલ અને તૃતીય રાજેશ ગામીત જ્યારે મહિલાઓમાં પ્રથમ જયમતી તુમડા, દ્વિતીય પુષ્પા યાદવ અને તૃતીય મીનાક્ષી સોની રહ્યા હતા. દરેક પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.