Vartman Pravah
ગુજરાતપારડીવલસાડ

વલસાડ પારડીમાં મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07 : વલસાડ પારડી વોર્ડ નંબર-5 ના રહીશોએ જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપ્‍યું હતું. આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ વલસાડ પારડી રામલાલા મંદિરની બાજુમાં આવેલ વૈધ ઘેલાભાઈ નાગરજી સાંસ્‍કળતિક લગ્નનો હોલ ગેરકાયદેસર રીતે વલસાડ પારડીનાં દેસાઈઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ હોલની બાજુમાં આવેલ નાની ખુલ્લી જગ્‍યામાં દેસાઈઓ દ્વારા ગેરકાયદેસર પરવાનગી વિના મોબાઈલ 46,5ઞ્‍ ટાવર ઉભો કરવાની કામગીરી ચાલુ કરાવેલ છે. આ ટાવર જે જગ્‍યાએ ઉભો કરવામાં આવે છે તેની બાજુમાં જ ગુજરાતી પ્રાથમિક શાળા આવેલ છે જેમાં 1થી 8 ધોરણના નાના આદિવાસીઓના લગભગ 400 થી 500 જેટલા છોકરા-છોકરીઓ અભ્‍યાસ કરે છે. આ છોકરા-છોકરીઓ આ ટાવરના રેડીયેશનથી તેઓનું ભવિષ્‍ય જોખમમાં છે તેમજ આ છોકરાઓ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે તેમજ વનસ્‍પતી, પશુ પંખીઓતેમજ ગામમાં વસવાટ કરતા બાળકો, વડીલો તેમજ સગર્ભાસ્ત્રીઓ પણ બીમારીનો ભોગ બની શકે છે. તેમજ આ ટાવરના રેડીયેશનથી કેન્‍સર જેવી જીવલેણ બીમારી પેદા થઈ શકે છે. આ ટાવર જે જગ્‍યાએ ઉભો કરવામાં આવે છે તેની આજુ બાજુ આદિવાસીઓના કાચા-પાકા મકાનો એપાર્ટમેંટો, મંદિર વિગેરે આવેલા છે. જેથી રહેણાક વિસ્‍તાર હોય જેમાં ટાવર લગાવી શકાય એમ નથી છતા આ ટાવરની કામગીરી વલસાડ પારડીના દેસાઈઓ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. ગામજનોની નમ્ર વિનંતી છે કે આ ટાવરનું કામકાજ તાત્‍કાલીક ધોરણે બંધ કરવામાં આવે અને યોગ્‍ય તપાસ કરી એમના પર કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી છે. ટાવર જે જગ્‍યાએ લગાવવામાં આપ્‍યું છે જેના 100 ફુટના અંતરે નયન ગુણવંતરાય દેસાઈના ઘરે 46,5ઞ્‍ નેટવર્કનો ટાવર હાલમાં લગાવવામાં આવેલ છે જે હાલમાં કાર્યરત છે. જે ટાવર પણ બંધ કરવા માટે વિનંતી છે. જો આ ટાવરોનું કામકાજ તાત્‍કાલિક બંધ કરવામાં ન આવશે તો વલસાડ પારડીની આજુબાજુ રહેતા લગભગ 700 જેટલા ઘરો તેમજ 10,000 ની વસ્‍તી ધરવતા ગામજનોને ગાંધી ચીન્‍ધે માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

Related posts

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

vartmanpravah

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

vartmanpravah

મજીગામમાં વહેલી સવારે વંકાલના યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન નિપજેલું મોત

vartmanpravah

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

Leave a Comment