December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબ 31 અને જૂના 10 મળી છેલ્લા 4 દિવસમાં 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી સાથે રૂા.5.35 લાખની આવક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: રકાય સરકાર દ્વારા જંત્રીના ભાવોના વધારો કરાયા બાદ ચીખલી તાલુકામાં નવા ભાવ મુજબના 31 અને જૂના મુજબના 10 મળી છેલ્લાચાર દિવસમાં કુલ 41 જેટલા દસ્‍તાવેજની નોંધણી થવા સાથે રૂા.5.35 લાખની આવક થવા પામી છે.
રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યભરમાં જંત્રીના ભાવો વધારીને બમણા કરી દેતા મકાન બાંધકામના ધંધા સાથે સંકળાયેલા બિલ્‍ડરો અને સામાન્‍ય વર્ગની ચિંતા વધી જવા પામી હતી. અને જંત્રીના બમણા ભાવ વધારા સાથે વિરોધના સુર ઉઠવા પામ્‍યાં હતા.
આ દરમ્‍યાન જંત્રીના ભાવો વધતા સ્‍ટેમ્‍પ ડ્‍યુટી વધી જવાની સ્‍થિતિ વચ્‍ચે અત્રેની સબ રજીસ્‍ટાર કચેરીમાં નવા ભાવો અમલમાં આવ્‍યા બાદ સોમવારથી ગુરૂવાર સુધીમાં નવા જંત્રીના ભાવ મુજબ 31-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે. જંત્રીના ભાવ વધારાની ખાસ અસર વર્તાવા પામી ન હોય તેવું ચિત્ર સ્‍પષ્ટ થવા પામ્‍યું છે. આ સાથે અગાઉથી સ્‍ટેમ્‍પ ખરીદાયેલ હોય તેવા કિસ્‍સામાં જુના દર મુજબ 10-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા પામી છે.
છેલ્લા ચાર દિવસમાં જુના અને નવા દર મુજબ ચીખલી સબ રજીસ્‍ટાર કચેરીમાં 41-જેટલા દસ્‍તાવેજોની નોંધણી થવા સાથે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી પેટે 3,78,350 અને નોંધણી ફી પેટે રૂા.1,57,250/- સાથે 5,35,600/- રૂપિયાની આવક થવા પામી છે.
સરકાર દ્વારા જંત્રીના દરોમાં બમણો વધારો કરાતા આખરે તો ખરીદનારના માથે જ ભારણ વધવા પામ્‍યું છે. અને ઘર જમીન સહિતની મિલકત ખરીદનારાઓ સામાન્‍યવ્‍યક્‍તિઓનું બજેટ પણ ખોરવાશે. સરકારની આવક વધશે પરંતુ સામાન્‍ય પ્રજા પર ભારણ વધે તેવી સ્‍થિતિમાં સરકાર ફેર વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી હતી. પરંતુ હવે સરકાર ફેર વિચારણા કરે તેમ લાગતું નથી.

Related posts

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીના હરિયા પાર્ક ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ડુંગરાના અંબામાતા મંદિરમાં હનુમાનજી, શિવપરિવાર, ગણેશજીની મૂર્તિઓનું શાષાોક્‍ત વિધિ-વિધાન સાથે કરવામાં આવેલી સ્‍થાપના

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

Leave a Comment