October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ગુજરાત સ્‍ટેટ યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો જન્‍મદિવસ વૈદિક યજ્ઞ સાથે ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના માર્ગદર્શન અનુસાર દક્ષિણ ગુજરાતના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને ડિસ્‍ટ્રિક્‍ટ કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્‍ણવના નેતૃત્‍વમાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 74મા જન્‍મદિવસની ભવ્‍ય ઉજવણી વૈદિક યજ્ઞ સાથે કરવામાં આવી હતી. જેમાં મોદીજીને દીર્ઘાયુ, ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય અને યશસ્‍વી થવા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં અલગ અલગ તાલુકા વાપી, ધરમપુર, પારડી અને વલસાડમાં અલગ અલગ જગ્‍યાએ એમ કુલ 6 સ્‍થળે યજ્ઞ કરવામાં આવ્‍યા હતા, જેમાં મોટી સંખ્‍યામાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર્સ, સાધકો અને અન્‍યલોકોએ ઉત્‍સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યજ્ઞના માધ્‍યમથી પ્રધાનમંત્રીશ્રી મોદીજીને બર્થ ડે સોંગ ગાઈ ચોકલેટ અને મીઠાઈ વહેંચી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

નવસારી ડિસ્‍ટ્રીક્‍ટ સિનીયર સીટીઝન ટ્રસ્‍ટ સંચાલિત ગીરીજા લાઈબ્રેરીમાં ‘મારે પણ કંઈક કહેવું છે’ મણકો 16 વક્‍તા હર્ષા ઘોઘારીએ ‘સારા માણસ બનીએ’ વિશે પ્રવચન આપ્‍યું

vartmanpravah

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

vartmanpravah

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્‍યાણ સમિતિ અને તેના સભ્‍યોએ વાપી ઈન્‍ડસ્‍ટ્રીઅલ એસ્‍ટેટની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment