April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

મંગળવારે ફરી યોજાનારી સામાન્‍યસભામાં સરપંચના ભાવિનો પણ ફેંસલો થશે : તળાવમાંથી માટી ખનન સામે રજૂઆત બાદ 8 જેટલા વોર્ડ સભ્‍યો દ્વારા સરપંચ અને ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.10: નોગામા ગ્રામ પંચાયતની તાલુકા પંચાયતના વિસ્‍તરણ અધિકારી જશવંતભાઈ તલાટી હરિદાસ ખડગેની ઉપસ્‍થિતમાં યોજાયેલ સામાન્‍ય સભામાં ઉપસરપંચ વિનોદભાઈ કેશવભાઈ પટેલ સામેની અવિશ્વાસની દરખાસ્‍તની તરફેણમાં આઠ જેટલા સભ્‍યો એમ બે જેટલાએ મતદાન કરતા ઉપસરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતા ઉપસરપંચે હોદ્દો ગુમાવવાની નોબત આવી હતી.
11-એપ્રિલના મંગળવારના રોજ સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત અંગે પણ ફરીવાર સામાન્‍ય સભા યોજાનાર હોય સરપંચના ભાવિનો ફેંસલો પણ મંગળવારના રોજ થઈ જશે. અવિશ્વાસની દરખાસ્‍તને લઈને નોગામા ગામે સ્‍થાનિક રાજકીય વાતાવરણ ગરમાવા પામ્‍યું છે. અનેસમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે.
નોગામા ગામે બ્‍લોક નંબર 389 અને 1362 માં આવેલ તળાવને ઊંડું કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા ખાનગી એજન્‍સી સાથે કરાર કરી એનઓસી આપવામાં આવી હતી. જેમાં આડેધડ માટી ખનન કરતા અને એક તરફ 50-60 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરાતા ગ્રામજનો દ્વારા ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અને આ માટી ખનન સરપંચ-ઉપસરપંચની ખુરશીનો ભોગ લેશે તેવી દહેશત પણ વ્‍યક્‍ત કરાઈ રહી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા -કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ગ્રામીણ અને શહેરી વિસ્‍તારમાં 246 જેટલા સ્‍થળોએ કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

Leave a Comment