Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

થર્ડ ફેઈઝમાં પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં એનસીબીએ 6 જુન 2022ના રોજ રેડ કરી 68 કિલો નશીલો પદાર્થ ઝડપ્‍યા બાદ કંપની સીલ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી થર્ડફેઈઝમાં આવેલ એક કંપનીમાં એન.સી.બી.એ ગત જુન 2022ના રોજ રેડ કરી હતી. રેડ દરમિયાન કંપનીમાંથી 68 કિલો નશીલો પદાર્થ ઝડપાતા ચાર આરોપીઓની અટક કરી હતી. કાર્યવાહી બાદ કંપનીને સિલ કરી દેવાઈ હતી. કંપનીના મુખ્‍ય ગેટ તોડી કંપનીમાં અવર જવર થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. સંભવત પુરાવા નાશ કરવાનો કોઈ હીત તત્‍વોએ પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી જીઆઈડીસી ફેઝ-3 પ્‍લોટ નં.સી-1/બી 2409માં કાર્યરત પાશ્વનાથ ડાયકેમ કંપનીમાં ગત તા.06 જુન 2022ના રોજ નારકોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરો (એન.સી.બી.) અમદાવાદ ટીમે છાપો માર્યો હતો. આ રેડમાં કંપનીમાંથી 68 કિ.ગ્રા. નશીલો પદાર્થ જપ્ત થયોહતો. કંપનીમાંથી 2 આરોપી ઝડપાયેલા, પાછળથી બે મળી એન.સી.બી.એ ચાર આરોપીની ધરપકડ કરી હતી. કંપનીમાંથી નશીલા પદાર્થ બનાવાની સાધન-સામગ્રી-રો મટેરીયલ વિગેરેને જપ્ત કરી એન.સી.બી.એ કંપની સિલ કરી હતી. આ સીલ કંપનીનો હાલમાં ગેટ ખુલ્લો અને અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવામાં આવ્‍યો છે. શંકાસ્‍પદ હિલચાલમાં સીલ કરેલ કંપનીમાં અવર જવર અને માલ સગેવગે કરવાનો પ્રયાસ કરેલાનું અજરાઈ રહ્યું છે. કાર્યવાહીમાં મુખ્‍ય ગેટ પર સીલ મરાયુ હતું. એ સીલ તોડી નંખાયું છે. કંપનીની સ્‍લાઈડ વિન્‍ડો ખુલેલી નજરે પડે છે. મુખ્‍ય ગેટના તાળામાં જી.ઈ.બી.નું લાઈટ બીલ ખોસેલું છે જે 40 હજારનું છે. કોઈ ચોક્કસ તત્ત્વો દ્વારા આ હરકત થઈ હોવી જોઈએ. જો તપાસ થાય તો ફરી મોટું કૌભાંડ બહાર આવવાની શક્‍યતા નકારી શકાય એમ નથી. એન.સી.બી.એ નારકોટિક્‍સ એક્‍ટ મુજબ ચાર આરોપી શ્રીનિવાસ કારેબોલૈયાહ/ સત્‍યાના લક્ષ્મીરાજન, મોહમદ સહજાદ સોનારુદ્દીન અને રાઉલ શેખની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કંપની સીલ કરી હતી અને વરિષ્‍ઠ અધિકારીએ સાવ4જનિક સુચના સાથે જાહેર નોટીસ પણ કંપનીના ગેટ ઉપર ચિટકાવી હતી.

Related posts

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક

vartmanpravah

દમણની તમામ પંચાયતોને 2023ના અંત સુધી ટી.બી. મુક્‍ત બનાવવા: દમણવાડા ગ્રામ પંચાયતમાં જાગૃતિ કાર્યક્રમનું થયું આયોજનઃ ટી.બી.ના રોગ અને ઉપચારની આપવામાં આવી જાણકારી

vartmanpravah

આવતીકાલથી વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની જાહેર પરિક્ષા ચુસ્‍ત બંદોબસ્‍ત સાથે શરૂ થશે

vartmanpravah

Leave a Comment