June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

થર્ડ ફેઈઝમાં પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં એનસીબીએ 6 જુન 2022ના રોજ રેડ કરી 68 કિલો નશીલો પદાર્થ ઝડપ્‍યા બાદ કંપની સીલ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી થર્ડફેઈઝમાં આવેલ એક કંપનીમાં એન.સી.બી.એ ગત જુન 2022ના રોજ રેડ કરી હતી. રેડ દરમિયાન કંપનીમાંથી 68 કિલો નશીલો પદાર્થ ઝડપાતા ચાર આરોપીઓની અટક કરી હતી. કાર્યવાહી બાદ કંપનીને સિલ કરી દેવાઈ હતી. કંપનીના મુખ્‍ય ગેટ તોડી કંપનીમાં અવર જવર થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. સંભવત પુરાવા નાશ કરવાનો કોઈ હીત તત્‍વોએ પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી જીઆઈડીસી ફેઝ-3 પ્‍લોટ નં.સી-1/બી 2409માં કાર્યરત પાશ્વનાથ ડાયકેમ કંપનીમાં ગત તા.06 જુન 2022ના રોજ નારકોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરો (એન.સી.બી.) અમદાવાદ ટીમે છાપો માર્યો હતો. આ રેડમાં કંપનીમાંથી 68 કિ.ગ્રા. નશીલો પદાર્થ જપ્ત થયોહતો. કંપનીમાંથી 2 આરોપી ઝડપાયેલા, પાછળથી બે મળી એન.સી.બી.એ ચાર આરોપીની ધરપકડ કરી હતી. કંપનીમાંથી નશીલા પદાર્થ બનાવાની સાધન-સામગ્રી-રો મટેરીયલ વિગેરેને જપ્ત કરી એન.સી.બી.એ કંપની સિલ કરી હતી. આ સીલ કંપનીનો હાલમાં ગેટ ખુલ્લો અને અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવામાં આવ્‍યો છે. શંકાસ્‍પદ હિલચાલમાં સીલ કરેલ કંપનીમાં અવર જવર અને માલ સગેવગે કરવાનો પ્રયાસ કરેલાનું અજરાઈ રહ્યું છે. કાર્યવાહીમાં મુખ્‍ય ગેટ પર સીલ મરાયુ હતું. એ સીલ તોડી નંખાયું છે. કંપનીની સ્‍લાઈડ વિન્‍ડો ખુલેલી નજરે પડે છે. મુખ્‍ય ગેટના તાળામાં જી.ઈ.બી.નું લાઈટ બીલ ખોસેલું છે જે 40 હજારનું છે. કોઈ ચોક્કસ તત્ત્વો દ્વારા આ હરકત થઈ હોવી જોઈએ. જો તપાસ થાય તો ફરી મોટું કૌભાંડ બહાર આવવાની શક્‍યતા નકારી શકાય એમ નથી. એન.સી.બી.એ નારકોટિક્‍સ એક્‍ટ મુજબ ચાર આરોપી શ્રીનિવાસ કારેબોલૈયાહ/ સત્‍યાના લક્ષ્મીરાજન, મોહમદ સહજાદ સોનારુદ્દીન અને રાઉલ શેખની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કંપની સીલ કરી હતી અને વરિષ્‍ઠ અધિકારીએ સાવ4જનિક સુચના સાથે જાહેર નોટીસ પણ કંપનીના ગેટ ઉપર ચિટકાવી હતી.

Related posts

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સરળ એપ અને બુથ સશક્‍તિકરણ અંગેની મિટિંગ યોજાઈ

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

દાનહ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓ સાથે કરેલી મનનીય ચર્ચા

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સેલવાસ દમણગંગા નદી કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment