October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

થર્ડ ફેઈઝમાં પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં એનસીબીએ 6 જુન 2022ના રોજ રેડ કરી 68 કિલો નશીલો પદાર્થ ઝડપ્‍યા બાદ કંપની સીલ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી થર્ડફેઈઝમાં આવેલ એક કંપનીમાં એન.સી.બી.એ ગત જુન 2022ના રોજ રેડ કરી હતી. રેડ દરમિયાન કંપનીમાંથી 68 કિલો નશીલો પદાર્થ ઝડપાતા ચાર આરોપીઓની અટક કરી હતી. કાર્યવાહી બાદ કંપનીને સિલ કરી દેવાઈ હતી. કંપનીના મુખ્‍ય ગેટ તોડી કંપનીમાં અવર જવર થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. સંભવત પુરાવા નાશ કરવાનો કોઈ હીત તત્‍વોએ પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી જીઆઈડીસી ફેઝ-3 પ્‍લોટ નં.સી-1/બી 2409માં કાર્યરત પાશ્વનાથ ડાયકેમ કંપનીમાં ગત તા.06 જુન 2022ના રોજ નારકોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરો (એન.સી.બી.) અમદાવાદ ટીમે છાપો માર્યો હતો. આ રેડમાં કંપનીમાંથી 68 કિ.ગ્રા. નશીલો પદાર્થ જપ્ત થયોહતો. કંપનીમાંથી 2 આરોપી ઝડપાયેલા, પાછળથી બે મળી એન.સી.બી.એ ચાર આરોપીની ધરપકડ કરી હતી. કંપનીમાંથી નશીલા પદાર્થ બનાવાની સાધન-સામગ્રી-રો મટેરીયલ વિગેરેને જપ્ત કરી એન.સી.બી.એ કંપની સિલ કરી હતી. આ સીલ કંપનીનો હાલમાં ગેટ ખુલ્લો અને અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવામાં આવ્‍યો છે. શંકાસ્‍પદ હિલચાલમાં સીલ કરેલ કંપનીમાં અવર જવર અને માલ સગેવગે કરવાનો પ્રયાસ કરેલાનું અજરાઈ રહ્યું છે. કાર્યવાહીમાં મુખ્‍ય ગેટ પર સીલ મરાયુ હતું. એ સીલ તોડી નંખાયું છે. કંપનીની સ્‍લાઈડ વિન્‍ડો ખુલેલી નજરે પડે છે. મુખ્‍ય ગેટના તાળામાં જી.ઈ.બી.નું લાઈટ બીલ ખોસેલું છે જે 40 હજારનું છે. કોઈ ચોક્કસ તત્ત્વો દ્વારા આ હરકત થઈ હોવી જોઈએ. જો તપાસ થાય તો ફરી મોટું કૌભાંડ બહાર આવવાની શક્‍યતા નકારી શકાય એમ નથી. એન.સી.બી.એ નારકોટિક્‍સ એક્‍ટ મુજબ ચાર આરોપી શ્રીનિવાસ કારેબોલૈયાહ/ સત્‍યાના લક્ષ્મીરાજન, મોહમદ સહજાદ સોનારુદ્દીન અને રાઉલ શેખની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કંપની સીલ કરી હતી અને વરિષ્‍ઠ અધિકારીએ સાવ4જનિક સુચના સાથે જાહેર નોટીસ પણ કંપનીના ગેટ ઉપર ચિટકાવી હતી.

Related posts

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

vartmanpravah

દમણ પોલીસે માંડ 10 દિવસમાં ઘરફોડ ચોરીનો ઉકેલેલો ભેદઃ રૂા.2.50 લાખના ઘરેણાં સહિત રૂા.13800 રોકડાઅને એક મોબાઈલ બરામદ

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

દીવ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિએ આઈ.એન.એસ. ખુકરીની મુલાકાત લઈ શહિદોને અર્પણ કર્યા શ્રદ્ધાસુમન

vartmanpravah

દાદરામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ધમધમી રહ્યા છે ઢાબા-દારૂના અડ્ડા

vartmanpravah

Leave a Comment