December 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

થર્ડ ફેઈઝમાં પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં એનસીબીએ 6 જુન 2022ના રોજ રેડ કરી 68 કિલો નશીલો પદાર્થ ઝડપ્‍યા બાદ કંપની સીલ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી થર્ડફેઈઝમાં આવેલ એક કંપનીમાં એન.સી.બી.એ ગત જુન 2022ના રોજ રેડ કરી હતી. રેડ દરમિયાન કંપનીમાંથી 68 કિલો નશીલો પદાર્થ ઝડપાતા ચાર આરોપીઓની અટક કરી હતી. કાર્યવાહી બાદ કંપનીને સિલ કરી દેવાઈ હતી. કંપનીના મુખ્‍ય ગેટ તોડી કંપનીમાં અવર જવર થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. સંભવત પુરાવા નાશ કરવાનો કોઈ હીત તત્‍વોએ પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી જીઆઈડીસી ફેઝ-3 પ્‍લોટ નં.સી-1/બી 2409માં કાર્યરત પાશ્વનાથ ડાયકેમ કંપનીમાં ગત તા.06 જુન 2022ના રોજ નારકોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરો (એન.સી.બી.) અમદાવાદ ટીમે છાપો માર્યો હતો. આ રેડમાં કંપનીમાંથી 68 કિ.ગ્રા. નશીલો પદાર્થ જપ્ત થયોહતો. કંપનીમાંથી 2 આરોપી ઝડપાયેલા, પાછળથી બે મળી એન.સી.બી.એ ચાર આરોપીની ધરપકડ કરી હતી. કંપનીમાંથી નશીલા પદાર્થ બનાવાની સાધન-સામગ્રી-રો મટેરીયલ વિગેરેને જપ્ત કરી એન.સી.બી.એ કંપની સિલ કરી હતી. આ સીલ કંપનીનો હાલમાં ગેટ ખુલ્લો અને અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવામાં આવ્‍યો છે. શંકાસ્‍પદ હિલચાલમાં સીલ કરેલ કંપનીમાં અવર જવર અને માલ સગેવગે કરવાનો પ્રયાસ કરેલાનું અજરાઈ રહ્યું છે. કાર્યવાહીમાં મુખ્‍ય ગેટ પર સીલ મરાયુ હતું. એ સીલ તોડી નંખાયું છે. કંપનીની સ્‍લાઈડ વિન્‍ડો ખુલેલી નજરે પડે છે. મુખ્‍ય ગેટના તાળામાં જી.ઈ.બી.નું લાઈટ બીલ ખોસેલું છે જે 40 હજારનું છે. કોઈ ચોક્કસ તત્ત્વો દ્વારા આ હરકત થઈ હોવી જોઈએ. જો તપાસ થાય તો ફરી મોટું કૌભાંડ બહાર આવવાની શક્‍યતા નકારી શકાય એમ નથી. એન.સી.બી.એ નારકોટિક્‍સ એક્‍ટ મુજબ ચાર આરોપી શ્રીનિવાસ કારેબોલૈયાહ/ સત્‍યાના લક્ષ્મીરાજન, મોહમદ સહજાદ સોનારુદ્દીન અને રાઉલ શેખની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કંપની સીલ કરી હતી અને વરિષ્‍ઠ અધિકારીએ સાવ4જનિક સુચના સાથે જાહેર નોટીસ પણ કંપનીના ગેટ ઉપર ચિટકાવી હતી.

Related posts

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરેલી મહિલા પૂત્ર જન્‍મ બાદ મરણ પામતા પરિવારે બબાલ કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment