July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

સરદાર પટેલ ઉદ્યાનમાં પ્રસ્‍થાપિત કરાયેલ પ્રતિમાને છ મહિના ઉપરાંતનો સમય વિતી ગયો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી નૂતનનગરમાં નવનિર્માણ થયેલ ઉદ્યાન બાદ લોકોના આગ્રહ અને રજૂઆતમાં ઉદ્યાનનું નામકરણ સરદાર બાગ જાહેર કરાયું હતું તેમજ બગીચામાં સરદાર પટેલની પ્રતિમા પ્રસ્‍થાપિત કરવાની માંગણી પાલિકામાં કરવામાં આવી હતી. ઉદ્યાનનું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે જે તે સમયે થયું હતું ત્‍યારે ઉદ્યાનમાં સરદારની પ્રતિમા અંગેની લોકોની રજૂઆતના પગલે પાલિકા દ્વારા પ્રતિમાની વ્‍યવસ્‍થા કરી ઉદ્યોગ મધ્‍યે પ્રસ્‍થાપિત પણ કરી દીધી છે પરંતુ આજદિન સુધી તેનુ લોકાર્પણ અટવાઈ રહેલ છે.
વાપી નૂતનનગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં લોકલાગણી અને રજૂઆતના પગલે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાલિકાને સુચિત કરેલ તેથી સરદાર પટેલની મૂર્તિ પણ પ્રસ્‍થાપિત કરી દેવાઈ છે ત્‍યાર બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગું થઈ ગઈ હતી. તેથી પ્રતિમાનું લોકાર્પણ અટકી જવા પામ્‍યું હતું. હવે આચારસંહિતા પુરી થયાને મહિનાઓ વિતી જવા છતાં હજુ પણ સરદાર પટેલ મૂર્તિનું લોકાર્પણ અટવાઈ રહ્યું છે. જો ત્‍વરીત નિર્ણય નહિ લેવાય તો ધરમપુરમાં પુલ લોકાર્પણપહેલાં જ લોકોએ લોકાર્પણ કરી દીધો એવું પુનરાવર્તનના થાય તેનું ધ્‍યાન પાલિકાએ લેવુ રહ્યું.

Related posts

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

આજે વિશ્વ મહિલા દિવસઃ વન્‍ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્‍યા

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલ કુતરાઓના હવાલે : સુરક્ષાના અભાવે સ્‍થિતિ ઉભી થઈ છે : દર્દીઓ ભયભીત

vartmanpravah

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ગુજરાત માનવાધિકાર આયોગના અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ ડો. કૌશલ ઠાકરના મુખ્‍ય અતિથિ પદે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સંસદ દ્વારા પાસ કરાયેલા 3 નવા ફોજદારી કાયદા વિશે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment