Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

ઘટનામાં ડ્રાઈવર ક્‍લિનર ભડથુ થઈ ગયા હતા, બે કારો બળી ખાખ થઈ હતી : કાર માલિકે નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ પાસે વાઘલધરા ગામે બુધવારે સાંજે કેમિકલ ભરેલ ટેન્‍કર ડિવાઈડર કુદી પલટી મારી ગઈ હતી. તેથી ભયંકર આગ લાગી હતી. આગ એટલી ભિષણ હતી કે દુર દુર ધુવાડા ફેલાઈ ગયા હતા. અકસ્‍માતમાં ટેન્‍કર ચાલક-ક્‍લિનર બળીને ભડથું થઈ ગયા હતા. તેમજ અન્‍ય બે કાર આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડ ઘટનામાં ચિખલીના કાર માલિકે ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ વાઘલધરા હાઈવે ઉપર સુરત તરફ જતી જ્‍વલનશીલ કેમિકલ ભરેલી ટેન્‍કર ડિવાઈડર કુદી મુંબઈ તરફ જતી લાઈનમાં પલટી મારીજતા અતિ વિકરાળ આગ લાગી હતી. ઘટના બાદ હાઈવેનો વાહન વહેવાર અટકાવી દેવાયો હતો. આગની ઘટનામાં ટેન્‍કર પાસે મારૂતિ વાન નં.જીજે 15 ઈબી 1058 અને સામેની ટ્રેક ઉપર પસાર થતી સ્‍વિફટ કાર નં.જીજે 21 સીસી 2128 આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. ટેન્‍કર ચાલક-ક્‍લિનર પણ આગમાં ભડથું થઈ જતા ઓળખ થઈ શકી નહોતી. આગની ઘટના અંગે વાહન ચાલક જીતુભાઈ ઠાકોરભાઈ પટેલ ચીખલી સાદકપોરએ ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેન્‍કર માલિકની શોધખોળ શરૂ કરી દીધી છે.

Related posts

દાનહઃ ફલાંડી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

vartmanpravah

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

vartmanpravah

Leave a Comment