April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

ઘટનામાં ડ્રાઈવર ક્‍લિનર ભડથુ થઈ ગયા હતા, બે કારો બળી ખાખ થઈ હતી : કાર માલિકે નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ પાસે વાઘલધરા ગામે બુધવારે સાંજે કેમિકલ ભરેલ ટેન્‍કર ડિવાઈડર કુદી પલટી મારી ગઈ હતી. તેથી ભયંકર આગ લાગી હતી. આગ એટલી ભિષણ હતી કે દુર દુર ધુવાડા ફેલાઈ ગયા હતા. અકસ્‍માતમાં ટેન્‍કર ચાલક-ક્‍લિનર બળીને ભડથું થઈ ગયા હતા. તેમજ અન્‍ય બે કાર આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડ ઘટનામાં ચિખલીના કાર માલિકે ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ વાઘલધરા હાઈવે ઉપર સુરત તરફ જતી જ્‍વલનશીલ કેમિકલ ભરેલી ટેન્‍કર ડિવાઈડર કુદી મુંબઈ તરફ જતી લાઈનમાં પલટી મારીજતા અતિ વિકરાળ આગ લાગી હતી. ઘટના બાદ હાઈવેનો વાહન વહેવાર અટકાવી દેવાયો હતો. આગની ઘટનામાં ટેન્‍કર પાસે મારૂતિ વાન નં.જીજે 15 ઈબી 1058 અને સામેની ટ્રેક ઉપર પસાર થતી સ્‍વિફટ કાર નં.જીજે 21 સીસી 2128 આગની લપેટોમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. ટેન્‍કર ચાલક-ક્‍લિનર પણ આગમાં ભડથું થઈ જતા ઓળખ થઈ શકી નહોતી. આગની ઘટના અંગે વાહન ચાલક જીતુભાઈ ઠાકોરભાઈ પટેલ ચીખલી સાદકપોરએ ડુંગરી પોલીસમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેન્‍કર માલિકની શોધખોળ શરૂ કરી દીધી છે.

Related posts

વલસાડ કોલેજમાં મહિલા પ્રાધ્‍યાપકની શારીરિક છેડતી કરનાર આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગનો આદેશ

vartmanpravah

વાપીમાં રૂા.4.પ0 કરોડના ખર્ચે સાકાર થયેલાઆર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

દમણઃ આટિયાવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા શરૂ કરેલી કામગીરી

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

Leave a Comment