April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચાસા – મજીગામ માઈનોર કેનાલમાં અખબારી અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા કડકાઈ દાખવતા કામની ગુણવત્તામાં સુધારો થવા સાથે પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતા ખેડૂતોને મોટી રાહત થવા પામી છે.


અંબિકા સબ ડિવિઝન ચીખલી દ્વારા તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે ચાસા અને મજીગામ સબ માઈનોર કેનાલની સપાટીને કોંક્રિટની પાકી બનાવવાનું કામ હાથ ધરાયું હતું. આ દરમિયાન કામની ગુણવતા સામે સવાલો ઉભા થતા તે અંગેના અખબારી અહેવાલ બાદ નાયબ કાર્ય પાલક ઈજનેર જીજ્ઞેશભાઈ સહિતના સ્‍ટાફ દ્વારા કામના સ્‍થળની મુલાકાત વધારી દઈ કામની ગુણવતામાં સુધારો કરવા એજન્‍સીને સુચના આપી પૂરતી તકેદારી રાખવામાં આવતાં કામની ગુણવત્તામાં સુધારો થવા પામ્‍યો હતો. આ દરમિયાન સિંચાઈવિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા પાણીનો વેડફાટ અટકવા સાથે છેવાડાના વિસ્‍તારના ખેતરોમાં પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી સાથે ખેડૂતોને તેમના પાકોમાં મોટી રાહત થવા પામી છે.
સરકાર દ્વારા આ રીતે તબક્કાવાર નહેરોની સપાટીને પાકી બનાવતા ખેડૂતોને મોટો લાભ થઈ રહ્યો છે .
ચીખલીમાં અંબિકા સબ ડિવિઝનના અધિકારીઓની સતર્કતાને પગલે નહેરના ગુણવત્તા યુક્‍ત કામોથી આગામી દિવસોમાં પણ ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્‍કેલી દૂર થશે તેમ લાગી રહ્યું છે. વધુમાં સિંચાઈ વિભાગ દ્વારા દર પંદર દિવસના રોટેશન મુજબ નિયમિતપણે પાણી છોડવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

Related posts

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

અદાણી ફાઉન્‍ડેશન હજીરાએ આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અનોખી રીતે ઉજવ્‍યો

vartmanpravah

તા.14 સપ્‍ટેમ્‍બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન

vartmanpravah

Leave a Comment