March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં મરચાની ખેતીમાં જીવાત મુદ્દે બાગાયત ખાતાની ટીમે તપાસ કરી ખેડૂતોને સૂચનો કર્યા

બ્‍લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતોઃ નાયબ બાગાયત નિયામક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: ઉમરગામ તાલુકામાં મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ જીવાતના ઉપદ્રવની તપાસ માટે વલસાડ જિલ્લા બાગાયત ખાતાની કચેરીના અધિકારીઓ સ્‍થળ પર પહોંચ્‍યા હતા. ત્‍યાં મરચાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોની સ્‍થળ મુલાકાત દરમ્‍યાન મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ જીવાતનો નોંધપાત્ર કે નુકસાનકારક ઉપદ્રવ જણાયો ન હતો તેમ છતાં ખેડૂતોને મરચાની ખેતીમાં બ્‍લેક થીપસ ઉપદ્રવ જણાય તો નિયંત્રણ માટેના પગલાં જણાવ્‍યા હતા.
નાયબ બાગાયત નિયામકે ખેડૂતોને જણાવ્‍યું કે, અન્‍ય શાકભાજી પાક સાથે પાકની ફેરબદલી કરવી જેનાથી જીવાંત કાયમી રહેણાંક થાય નહી. ગલગોટા કે અગાથીનું આંતરપાકમાં વાવેતર કરવું. વધારે પ્રમાણમાં ઉપદ્રવ જણાય ત્‍યારે પીળાઅને સફેદ સ્‍ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો. નીમ ઓઈલ 1000 પીપીએમ (2 મીલી/લી.)નો છંટકાવ કરવો. સંકલિત જીવાત પોષણ વ્‍યવસ્‍થાપનનો ઉપયોગ કરવો અને કળષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ મરચાની ફૂલ અવસ્‍થાએ સ્‍પાયનેટોરમ (10 મીલી/10 લી) અથવા ટોલફેન પાયરાઈસ 15 ઈસી 20 મીલી/10 લી. અસરકારક નિયંત્રણ માટે છંટકાવ કરવો. આમ રોગ જીવાતના નિયંત્રણ માટે ઉપર જણાવેલા પગલા લઈ ખેડૂતો મરચાની ખેતીમાં શરૂઆતથી જ કાળજી લઈ શકે છે એવું વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

વલસાડમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

vartmanpravah

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment