August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.22: ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલ બ્‍લેક ડાયમંડ સ્‍ટોન એન્‍ટરપ્રાઈઝ ક્‍વોરીની પથ્‍થરની ખાણમાં શ્રમિકો પથ્‍થરની ભેખડ ઉપર બ્‍લાસ્‍ટિંગ કરવા માટે હોલ ભરતા હતા તે દરમ્‍યાન સવારના સાડા દસેક વાગ્‍યાના અરસામાં અચાનક ઉપરથી મોટા પથ્‍થરો ધસી આવતા દબાઈ જતા મંગુભાઈ છનાભાઈ પટેલ (રહે.દેગામ ઘોડિયાવાડ કુંવાધોલ ફળીયા તા.ચીખલી) તથા રતિલાલ મનુભાઈ પટેલ (રહે.દેગામ ધોડીયાવાડ તા.ચીખલી) એમ બે ના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા હતા. આ ઉપરાંત દેગામઘોડિયાવાડના નટુભાઈ ભીમભાઈ પટેલ ઈજાગ્રસ્‍ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. બનાવ અંગેની જાણ રાજેશ જીવણભાઈ પટેલ (રહે.દેગામ ધોડિયાવાડ તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

જિલ્લામાં કોમી એકતા અને એખલાસભર્યુ વાતાવરણ જાળવી રાખવા જિલ્લા એકતા સમિતિની રચના કરાઈ

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

vartmanpravah

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

દાનહ પોલીસે સગીર બાળાને બિહારથી શોધી માતા-પિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment