April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.22: ચીખલી તાલુકાના દેગામ ગામે આવેલ બ્‍લેક ડાયમંડ સ્‍ટોન એન્‍ટરપ્રાઈઝ ક્‍વોરીની પથ્‍થરની ખાણમાં શ્રમિકો પથ્‍થરની ભેખડ ઉપર બ્‍લાસ્‍ટિંગ કરવા માટે હોલ ભરતા હતા તે દરમ્‍યાન સવારના સાડા દસેક વાગ્‍યાના અરસામાં અચાનક ઉપરથી મોટા પથ્‍થરો ધસી આવતા દબાઈ જતા મંગુભાઈ છનાભાઈ પટેલ (રહે.દેગામ ઘોડિયાવાડ કુંવાધોલ ફળીયા તા.ચીખલી) તથા રતિલાલ મનુભાઈ પટેલ (રહે.દેગામ ધોડીયાવાડ તા.ચીખલી) એમ બે ના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા હતા. આ ઉપરાંત દેગામઘોડિયાવાડના નટુભાઈ ભીમભાઈ પટેલ ઈજાગ્રસ્‍ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. બનાવ અંગેની જાણ રાજેશ જીવણભાઈ પટેલ (રહે.દેગામ ધોડિયાવાડ તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દાનહમાં મોપેડ ખરીદીમા બ્રોકર દ્વારા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

દાનહના આદિવાસી વિકાસ સંગઠન સંચાલિત ‘આદિવાસી ભવન’ હવે ‘એકલવ્‍ય ભવન’ તરીકે ઓળખાશે

vartmanpravah

આજે વાપી દમણગંગા નદી કિનારે આસ્‍થા સાથે ભવ્‍ય છઠ્ઠ પૂજા પ્રારંભ : બે દિવસ ઉજવણી થશે

vartmanpravah

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

Leave a Comment