August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

અકસ્‍માત ઝોન બનેલ રોડ વરસાદી ખાડાને લીધે વાહનો લગાતાર પલટી મારતા રહે છે: રોડ ગંભીર હાલત સર્જી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડના કપરાડામાં આવેલ કુંભઘાટના વળાંક વાળા ઢોળાવોમાંથી પસાર થતો રોડ ચોમાસામાં બિલકુલ ધોવાઈ ચૂક્‍યો છે. પરિણામે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ચુક્‍યા છે. આવા ખાડાઓમાંથી પસાર થતી ટ્રકો નમી જતા બેલેન્‍સ ગુમાવી વારંવાર પલટી મારી જતી હોય છે. છેલ્લા બે દિવસમાં ત્રણ ટ્રકો ખાડાનો ભોગ બની પલટી મારી ગઈ છે.
કપરાડા કુંભઘાટ ઉપર ઢોળાવોમાં નીચે ઉતરતા વરસાદી ખાડાઓ ટ્રકો નમી જતા પલટી મારી રહી છે. ગઈકાલે નાસિક તરફથી ટામેટા ભરીને આવી રહેલી ટ્રક પલટી મારી ગઈ હતી. જેમાં લોકોએ ટામેટાની લૂંટ પણ કરી હતી. આજે વધુ બે ટ્રક પલટી મારી ગઈ છે. કપાસ ભરીને કર્ણાટકથી નિકળેલી ટ્રક ખાડાના લીધે પલટી મારી ગઈ હતી. જ્‍યારે અન્‍ય ટ્રક રિવર્સ લેતા પલટી મારી ગઈ હતી. લગાતાર બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ચૂકી છે. સંજોગ વસાત ત્રણ ટ્રના ચાલકોનો બચાવ થવા પામ્‍યો છે.

Related posts

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

vartmanpravah

Leave a Comment