September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં યુવા અનાવિલ સંગઠન દ્વારા 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કારનો ભવ્‍ય કાર્યક્રમ યોજાશે

અનાવિલ હોલમાં ચાલતી તડામાર પૂર્વ તૈયારીઓ : 3 થી 4 હજાર અનાવિલો કાર્યક્રમમાં સહભાગી બનશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલ શુક્રવારે વાપી અનાવિલ હોલમાં 40 બટુકોનો યજ્ઞોપવિત સંસ્‍કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંગઠન દ્વારા આ બીજો સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે.
વાપી વિસ્‍તારમાં વસતા અનાવિલ સમાજ માટે ખુબ મહત્ત્વનો પ્રસંગ એટલે બટુકોના યજ્ઞપવિત સંસ્‍કાર જેને લગ્ન પ્રસંગ જેટલો મુલ્‍યવાન લેખાય છે. તેથી વાપી યુવા અનાવિલ સંગઠન દ્વારા આવતીકાલે દ્વિતિય સામુહિક યજ્ઞોપવિત કાર્યક્રમ અનાવિલ હોલમાં યોજાનાર છે. અનાવિલ યુવા સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા અનાવિલ હોલમાં બે દિવસથી પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં 40 બટુકોનો સામુહિક યજ્ઞોપવિત સ્‍વજનોની વિશાળ હાજરીમાં થશે. કાર્યક્રમમાં સમાજના ત્રણથી ચાર હજાર અનાવિલો સહભાગી થશે.

Related posts

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

Leave a Comment