December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના દપાડા ગામમા રહેતો યુવાન થોડા દિવસ અગાઉ કોઈક કારણસર ગુમ થયો હતો. જે સંદર્ભે એમના પરિવારના સભ્‍યોએ એમના પુત્રનુ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી સાથે એસપીને પણ આ સંદર્ભે લેખિત રજૂઆત કરી હતી. છતાં પણ યુવાનનો પતો ના લાગ્‍યો હતો. ગુરુવારના રોજ સાંજે આ યુવાનની લાશ ખડોલી ગામેથી મળતા ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દપાડા ગામે રહેતા દિલીપ જાનીયા ધોડિયા જે એક મહિના પૂર્વે ગુમ થયો હતો. ગુમ થનાર યુવક એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેના અંગે પરિવારના સભ્‍યોએ રખોલી પોલીસ સ્‍ટેશનમા ગુમસુદાની ફરિયાદ નોંધાવી હતી. એક અઠવાડિયા સુધી કોઈપણ પતો ના લાગતા પરિવારના સભ્‍યોએ એસપીને મળી એમના પુત્રનું અપહરણ થયું હોવાની લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ગુમ થયાના એક મહિના બાદ ખડોલી ખાતેથી દિલીપની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ખાનવેલ પોલીસ અને સેલવાસ પોલીસની ટીમ પહોંચી હતી અને લાશનો કબજો લઈને પી.એમ માટે મોકલી આપી હતી. યુવાનની હત્‍યા થઈ છે કે કુદરતી રીતે મૃત્‍યુ થયું છે તથા એક મહિનાથીયુવાન કયાં હતો? વગેરે ચર્ચાઓ પંથકમાં થઈ રહી છે. યુવાનનું મૃત્‍યુ કેવી રીતે થયું છે એ એ પી.એમ રિપોર્ટ આવે પછી જ બહાર આવશે. આ મામલે દાનહ પોલીસ બધી જ શકયતાને ધ્‍યાનમાં લઈને તપાસ કરી રહી છે.

Related posts

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સ્‍ટેટ રાઈફલ શૂટિંગ સ્‍પોર્ટ્‍સ એસોસિએશન દ્વારા આયોજીત રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં દમણની કુ. ઈશ્વરી ચોનકરે સબ યુથ અને યુથની બંને શ્રેણીમાં જીતેલા બે ગોલ્‍ડ મેડલ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

Leave a Comment