(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 16
દાદરા નગર હવેલીમાં આરોગ્ય વિભાગ દ્વારા 12થી 14 વર્ષના બાળકો માટે કોવેક્સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્યો છે. દેશના આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયા કરેલી જાહેરાતમાં જણાવેલ કે 16માર્ચથી 12થી 14વર્ષના બાળકો માટે વેક્સીનેશનનો પ્રારંભ કરાશે. જે સંદર્ભે પ્રદેશના 52 સેન્ટરો સહિત સરકારી શાળા પરિસરોમા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્યો છે. જેમા પ્રથમ દિવસે 317 લોકોને વેક્સીન આપી દેવામા આવી છે.
Next Post