March 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પ્રાંત અધિકારી શ્રી અમિતભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, મામલતદાર રોશનીબેન સહિતની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાખાના તજજ્ઞો દ્વારા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી, આરોગ્‍ય, કાનૂની સલાહ, સ્‍વબચાવવિગેરે મુદ્દાઓ પર વિસ્‍તાર માર્ગદર્શન આપી આઈસીડીએસની યોજનાઓ અંગે પણ માહિતગાર કરાયા હતા.
કિશોરીઓ દ્વારા પણ આઈસીડીએસની યોજનામાંથી મળતા લાભો વિશે તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કિશોરીઓ દ્વારા પોષણના વિષય પર વક્‍તવ્‍ય આપી પોષણનો ગરબો પણ રજૂ કર્યો હતો.
કિશોરીઓને પ્રોત્‍સાહિત કરવા માટે સ્‍પર્ધામાં વિજેતા કિશોરીઓને પૂર્ણાકપનું પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સેલ્‍ફી પોઈન્‍ટથી સેલ્‍ફી અને સિગ્નેચર પોઈન્‍ટ પર સિંગ્નેચર પણ કરવામાં આવી હતી. વધુમાં તમામ યોજનાકીય સ્‍ટોલની પણ કિશોરીઓએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસના તમામ ઘટકના સીડીપીઓ મધુબેન, સુદેશાબેન, શારદાબેન મુખ્‍ય સેવિકા રશ્‍મિબેન સહિતના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

vartmanpravah

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

Leave a Comment