Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા આયોજિત કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પ્રાંત અધિકારી શ્રી અમિતભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, મામલતદાર રોશનીબેન સહિતની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ શાખાના તજજ્ઞો દ્વારા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી, આરોગ્‍ય, કાનૂની સલાહ, સ્‍વબચાવવિગેરે મુદ્દાઓ પર વિસ્‍તાર માર્ગદર્શન આપી આઈસીડીએસની યોજનાઓ અંગે પણ માહિતગાર કરાયા હતા.
કિશોરીઓ દ્વારા પણ આઈસીડીએસની યોજનામાંથી મળતા લાભો વિશે તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કિશોરીઓ દ્વારા પોષણના વિષય પર વક્‍તવ્‍ય આપી પોષણનો ગરબો પણ રજૂ કર્યો હતો.
કિશોરીઓને પ્રોત્‍સાહિત કરવા માટે સ્‍પર્ધામાં વિજેતા કિશોરીઓને પૂર્ણાકપનું પ્રમાણપત્ર આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત સેલ્‍ફી પોઈન્‍ટથી સેલ્‍ફી અને સિગ્નેચર પોઈન્‍ટ પર સિંગ્નેચર પણ કરવામાં આવી હતી. વધુમાં તમામ યોજનાકીય સ્‍ટોલની પણ કિશોરીઓએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસના તમામ ઘટકના સીડીપીઓ મધુબેન, સુદેશાબેન, શારદાબેન મુખ્‍ય સેવિકા રશ્‍મિબેન સહિતના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

vartmanpravah

Leave a Comment