March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

નાણામંત્રી તરીકેશ્રી કનુભાઈ દેસાઈએ બીજું સર્વાંગી વિકાસલક્ષી રૂા.899 કરોડનું પુરાંતવાળું બજેટ પ્રસ્‍તૂત કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ગુજરાત વિધાનસભામાં આજે શુક્રવારે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું વિકાસલક્ષી બજેટ સન-2023-24નું રજૂ કર્યું હતું. પારડીના ધારાસભ્‍ય હોવાથી વલસાડ જિલ્લાનું સર્વોપરી બની ચૂકેલ છે.
ગાંધીનગર વિધાનસભા છત્રના બીજા દિવસે રાજ્‍યના નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું. સવારે મંત્રી નિવાસ સ્‍થાને પરિવારે પૂજા અર્ચના કરી હતી. ત્‍યારબાદ તેઓ વિધાનસભા ભવન પહોંચ્‍યા હતા. નાણામંત્રીને શુભેચ્‍છા આપવા માટે ટીમ વી.આઈ.એ. અગાઉથી ઉપસ્‍થિત રહી હતી. બજેટમાં રોડ, રસ્‍તા, પુલ, રેલવે આર.ઓ.બી., સ્‍ટેટ અને નેશનલ હાઈવે ચાર થી છ માર્ગીય, શિક્ષણ, ઉદ્યોગ, ઊર્જા, આદિવાસી વિકાસ, સ્‍માર્ટ સ્‍કૂલ, ખેતીવાડી અને મા અમૃત વાત્‍સલ્‍ય યોજના 5 લાખથી વધારી 10 લાખની જોગવાઈ સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસ માટે જંગી નાણાની ફાળવણી આવરી લેવાઈ છે. ગુજરાતના ઈતિહાસમાં અત્‍યાર સુધીમાં સૌથી મોટું બજેટ એ પણ 899 કરોડની પુરાંત સાથેનાણામંત્રીએ રજૂ કરતા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેડૂતો, ગૃહિણીઓ, સમાજના તમામ વર્ગના વિકાસ માટે બજેટમાં વિવિધ યોજનાઓનો સમાવેશ કરાયેલો જોવા મળે છે. આઝાદીના અમૃત મહોત્‍સવને ધ્‍યાને રાખી ગુજરાતમાં વાસ્‍તવિક અમૃત કાળ આવે તેવી તમામ સંભાવનાઓ બજેટમાં સમાવિષ્‍ટ કરાઈ છે.

Related posts

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

‘એક ભારત, શ્રેષ્‍ઠ ભારત’ અભિયાન અંતર્ગત દમણમાં વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના સ્‍થાપના દિવસનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

vartmanpravah

Leave a Comment