January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારસીઓની ઐતિહાસિક ભૂમિ સંજાણની થનારી કાયાપલટ

જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા અગ્રેએ અધિકારીની ટીમ સાથે સંજાણની મુલાકાત કરી વિકાસ માટે હાથ ધરેલી સર્વેની કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ઉમરગામ તાલુકાનું સંજાણ પારસીઓ માટેનુ પ્રથમ આશ્રય સ્‍થાન છે. પારસીઓ માટે ગણાતું પવિત્ર અને ઐતિહાસિક સ્‍થળ સંજાણને વિકસિત કરવા રાજ્‍ય સરકાર આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે અને અધિકારીઓની ટીમ સંજાણની મુલાકાત કરી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો. પારસીઓનો ઈતિહાસની ઝાંખી સંજાણ સ્‍તંભ ઉપરની તકતીમાં જોવા મળે છે. દર વર્ષે સંજાણ-ડે ની પણ ઉજવણી પારસીઓ દ્વારા કરવામાં આવે છે.
સંજાણને ઐતિહાસિક સ્‍થળ તરીકે વિકસિત કરવા માટે પ્રથમ ટ્રાફિક સમસ્‍યા અને ગંદકીનું ફેલાયેલું સામ્રાજ્‍યને દૂર કરવાની જરૂર છે. આજરોજ કલેકટરશ્રીએ લીધેલી મુલાકાતમાં રોડ ઉપરનુઅતિક્રમણ અને સંજાણના જાહેર માર્ગો અને આજુબાજુ ફેલાયેલી ગંદકીની નોંધ લેવામાં આવી હશે એવું જણાઈ રહ્યું છે.

Related posts

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

vartmanpravah

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment