જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેએ અધિકારીની ટીમ સાથે સંજાણની મુલાકાત કરી વિકાસ માટે હાથ ધરેલી સર્વેની કામગીરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.24: ઉમરગામ તાલુકાનું સંજાણ પારસીઓ માટેનુ પ્રથમ આશ્રય સ્થાન છે. પારસીઓ માટે ગણાતું પવિત્ર અને ઐતિહાસિક સ્થળ સંજાણને વિકસિત કરવા રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે અને અધિકારીઓની ટીમ સંજાણની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પારસીઓનો ઈતિહાસની ઝાંખી સંજાણ સ્તંભ ઉપરની તકતીમાં જોવા મળે છે. દર વર્ષે સંજાણ-ડે ની પણ ઉજવણી પારસીઓ દ્વારા કરવામાં આવે છે.
સંજાણને ઐતિહાસિક સ્થળ તરીકે વિકસિત કરવા માટે પ્રથમ ટ્રાફિક સમસ્યા અને ગંદકીનું ફેલાયેલું સામ્રાજ્યને દૂર કરવાની જરૂર છે. આજરોજ કલેકટરશ્રીએ લીધેલી મુલાકાતમાં રોડ ઉપરનુઅતિક્રમણ અને સંજાણના જાહેર માર્ગો અને આજુબાજુ ફેલાયેલી ગંદકીની નોંધ લેવામાં આવી હશે એવું જણાઈ રહ્યું છે.