January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી-ગાંધીનગર-મહેસાણા વધુ બે ટ્રેન સેવા અગામી ડિસેમ્‍બર તા.24 – જાન્‍યુઆરી તા.04 થી કાર્યરત થશે

શતાબ્‍દી એકસપ્રેસ ગાંધીનગર સુધી જશે તેમજ ઉમરગામ-મહેસાણા નવી ટ્રેન શરૂ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વાપી-ઉમરગામ વિસ્‍તારમાં વસતા ઉત્તર ગુજરાત વિસ્‍તારના મુસાફરો માટે વધુ નવી બે ટ્રેન સેવા કાર્યરત છે. જેમાં શતાબ્‍દી સુપરફાસ્‍ટને ગાંધીનગર સુધી દોડાવવામાં આવશે તેમજ ઉમરગામ-મહેસાણા નવી ટ્રેન કાર્યરત થનાર છે.
વાપી-ઉમરગામ-સરીગામના ઉદ્યોગપતિઓ અને અન્‍ય વ્‍યવસાયિકો માટે વારંવાર ગાંધીનગર જવુ પડતું હોય છે. લાંબા સમયથી માંગ હતી કે શતાબ્‍દી સુપરફાસ્‍ટને ગાંધીનગર સુધી લંબાવવી જોઈએ. આ રજૂઆતને ધ્‍યાને લઈ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને રાજ્‍યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોસ (સુરત)એ શતાબ્‍દી ફાસ્‍ટ ટ્રેનને ગાંધીનગર સ્‍ટોપેજ મંજૂર કર્યું છે. જે આગામી ડિસેમ્‍બર તા.24થી ચાલુ થઈ જશે. બીજી વાપી વિસ્‍તારમાં વસતા મહેસાણા-પાટણ જિલ્લાના મુસાફરો માટે ઉમરગામથી મહેસાણા વિશેષ ટ્રેન શરૂ થનાર છે. જે તા.04 જાન્‍યુઆરીથી 16 જાન્‍યુઆરી દરમિયાન ટ્રાયલ ટ્રેન છે.
ઉમરગામથીદરરોજ 5:50 વાગે ઉપડશે અને રાત્રે 2:40 કલાકે મહેસાણા પહોંચશે. જ્‍યારે મહેસાણાથી બપોરે 4:30 કલાકે ઉપડશે અને રાત્રે 1:30 વાગે ઉમરગામ પહોંચશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ, નડીયાદ, અમદાવાદ અને ગાંધીનગર બન્ને દિશામાં ઉભી રહેશે.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

કોરોનાની ત્રીજી લહેર પૂર્વે મહારાષ્ટ્ર ભિલાડ સહિત ચાર બોર્ડર ઉપર આરોગ્ય વિભાગનું ચેકીંગ અભિયાન

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી છરવાડા રમઝાનવાડી સોફાની દુકાનમાં ભીષણ આગ લાગતા લાખોનો સામાન બળીને ખાખ

vartmanpravah

Leave a Comment