October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24 : દાદરા નગર હવેલીના દાદરા ગામે નહેર નજીકથી એકયુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ગત મહિને ગુમ થયેલ યુવાન અંગેના કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં આજે શુક્રવારે ફરી એક યુવાન ધર્મેન્‍દ્ર મોહતે (ઉ.વ.32) હાલમાં રહે દાદરા અને મૂળ રહેવાસી બિહારની દાદરા ગામમાંથી વહેતી નહેરના કિનારેથી લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મૃતક યુવાન તેના ભાઈ સાથે એક જ રૂમમાં રહેતા હતા અને દાદરાની જ એક કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ બે-ત્રણ દિવસથી નોકરી પર જતા નહીં હતા અને રૂમમાં જ બેસી રહેતા હતા અને એના ભાઈને જણાવેલ કે હું ગામ જવાનો છું અને ત્‍યારબાદ ગુરૂવારના રોજ તેમના રૂમમાંથી ક્‍યાંક ચાલી ગયો હતો. આજે દાદરા ગામની નહેર નજીકથી એક યુવાનની લાશ પડેલી હોવાનું સ્‍થાનિકોએ જોતાં પોલીસને જાણ કરી હતી. ત્‍યારે આજુબાજુ તપાસ કર્યા બાદ જાણવા મળ્‍યું કે આ લાશ રૂમ ઉપરથી ચાલી ગયેલ ધર્મેન્‍દ્ર મોહતેની છે અને એના ભાઈને બોલાવી ઓળખ કરવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ દાદરા પોલીસ કરી રહી છે.

Related posts

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

નાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

જામલીયા ગામની શ્રમ આશ્રમ કુમાર છાત્રાલયમાં લંડન પરિવાર દ્વારા પુણ્‍યતિથીએ આનજ વિતરણ

vartmanpravah

દાનહઃ અથાલના આદિવાસી પરિવારની જમીન પચાવી પાડવા સંદર્ભે ‘ભારત આદિવાસી પાટી’ દ્વારા એસ.પી.ને કરાયેલી રજૂઆત

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

Leave a Comment