Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24 : દાદરા નગર હવેલીના દાદરા ગામે નહેર નજીકથી એકયુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ગત મહિને ગુમ થયેલ યુવાન અંગેના કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં આજે શુક્રવારે ફરી એક યુવાન ધર્મેન્‍દ્ર મોહતે (ઉ.વ.32) હાલમાં રહે દાદરા અને મૂળ રહેવાસી બિહારની દાદરા ગામમાંથી વહેતી નહેરના કિનારેથી લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મૃતક યુવાન તેના ભાઈ સાથે એક જ રૂમમાં રહેતા હતા અને દાદરાની જ એક કંપનીમાં નોકરી કરતા હતા. જેઓ બે-ત્રણ દિવસથી નોકરી પર જતા નહીં હતા અને રૂમમાં જ બેસી રહેતા હતા અને એના ભાઈને જણાવેલ કે હું ગામ જવાનો છું અને ત્‍યારબાદ ગુરૂવારના રોજ તેમના રૂમમાંથી ક્‍યાંક ચાલી ગયો હતો. આજે દાદરા ગામની નહેર નજીકથી એક યુવાનની લાશ પડેલી હોવાનું સ્‍થાનિકોએ જોતાં પોલીસને જાણ કરી હતી. ત્‍યારે આજુબાજુ તપાસ કર્યા બાદ જાણવા મળ્‍યું કે આ લાશ રૂમ ઉપરથી ચાલી ગયેલ ધર્મેન્‍દ્ર મોહતેની છે અને એના ભાઈને બોલાવી ઓળખ કરવામાં આવી હતી. પોલીસે લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ દાદરા પોલીસ કરી રહી છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્‍ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment