April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કેટલાક યુવાઓએ મળી સામાજીક સંસ્‍થા અન્નદાનમના માધ્‍યમથી એક અનોખી પહેલ કરી છે. જે સમાજમાં ક્રાંતિકારી અને અન્ન બચાવવામાં કારગર ભૂમિકા અદા કરી શકે છે. નવયુવાનો દ્વારા સંસ્‍થાના માધ્‍યમથી અનુરોધ કર્યો છે કે સામાજીક અને સાંસ્‍કળતિક અને વૈવાહિક પ્રસંગમાં સામુહિક કાર્યક્રમમાં બચતા અન્નને અન્નદાનમ સંસ્‍થા દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની પહેલ કરી છે.
સંસ્‍થાના પ્રતિનિધિ નિપુણ પંડયાએ જણાવ્‍યુ કે, અન્નદાનમ એનજીઓ કર્તવ્‍ય દ્વારા શરુ કરવામાં આવેલ એક નવી પહેલ છે. જેના અંતર્ગત કોઈપણ પ્રકારના સમારોહમાં બચેલ ભોજનને અમારી સંસ્‍થાના સ્‍વયંસેવકો દ્વારા ભેગુ કરી જરૂરિયાતમંદ સુધી પહોચાડવામોં આવશે. છેલ્લા એક વર્ષથી અમારી સંસ્‍થાએ આ પાયલોટ પ્રોજેક્‍ટ ચલાવતા ત્રણ હજારથી વધુ લોકો સુધી આ સેવા પહોચાડી છે. અમારી સંસ્‍થામાં સેવા કરવા માટે અને અમારી સાથે જોડાવા માટે અમારો સંપર્ક કરી શકે છે.

Related posts

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

Leave a Comment