October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વિંગ સભ્‍ય પ્રવીણ આહીરએ કેસરિયો ધારણ કરી ઘર વાપસી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: હાલમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્‍યો છે ત્‍યારે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્‍યો છે. ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. વીંગના સભ્‍ય પ્રવિણભાઈ આહિર વિધિવત રીતે ભાજપમાં જોડાય ગયા છે.
ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્‍દ્રભાઈ ચૌધરીની હાજરીમાં મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ સાથે પ્રવિણભાઈ આહિરે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પ્રવિણભાઈ આહિરે તા.25-04-2024 ના રોજઆમ આદમી પાર્ટીના પદ ઉપરથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં તેમના સમર્થકો સાથે જોડાયા છે. તેમણે કહ્યું કે જે રીતે ભાજપ વિકાસના કાર્યો કરી રહી છે. સામાન્‍યમાં સામાન્‍ય વ્‍યક્‍તિને ધ્‍યાને રાખી વિવિધ યોજનાકીય સહાય કરવામાં આવી રહી હોય ત્‍યારે દેશના વિકાસમાં વધુ હાથ મજબૂત બનાવવા માટે તેઓ ફરી ઘર વાપસી કરી છે.

Related posts

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દાનહ અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવાના સંકલ્‍પને સાકાર કરવા પ્રશાસનિક પ્રયાસો તેજ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

Leave a Comment