July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કેટલાક યુવાઓએ મળી સામાજીક સંસ્‍થા અન્નદાનમના માધ્‍યમથી એક અનોખી પહેલ કરી છે. જે સમાજમાં ક્રાંતિકારી અને અન્ન બચાવવામાં કારગર ભૂમિકા અદા કરી શકે છે. નવયુવાનો દ્વારા સંસ્‍થાના માધ્‍યમથી અનુરોધ કર્યો છે કે સામાજીક અને સાંસ્‍કળતિક અને વૈવાહિક પ્રસંગમાં સામુહિક કાર્યક્રમમાં બચતા અન્નને અન્નદાનમ સંસ્‍થા દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની પહેલ કરી છે.
સંસ્‍થાના પ્રતિનિધિ નિપુણ પંડયાએ જણાવ્‍યુ કે, અન્નદાનમ એનજીઓ કર્તવ્‍ય દ્વારા શરુ કરવામાં આવેલ એક નવી પહેલ છે. જેના અંતર્ગત કોઈપણ પ્રકારના સમારોહમાં બચેલ ભોજનને અમારી સંસ્‍થાના સ્‍વયંસેવકો દ્વારા ભેગુ કરી જરૂરિયાતમંદ સુધી પહોચાડવામોં આવશે. છેલ્લા એક વર્ષથી અમારી સંસ્‍થાએ આ પાયલોટ પ્રોજેક્‍ટ ચલાવતા ત્રણ હજારથી વધુ લોકો સુધી આ સેવા પહોચાડી છે. અમારી સંસ્‍થામાં સેવા કરવા માટે અને અમારી સાથે જોડાવા માટે અમારો સંપર્ક કરી શકે છે.

Related posts

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

Leave a Comment