Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

સી.એન.જી. પમ્‍પ ફેડરેશનની જાહેરાત અગાઉ પણ એક દિવસની પ્રતિક હડતાલ પમ્‍પ સંચાલકોએ પાડી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.28: શુક્રવાર તા.03 માર્ચથી વલસાડ જિલ્લાના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ રહેનાર છે. સમસ્‍ત ગુજરાત સી.એન.જી. પમ્‍પ સંચાલક ફેડરેશન દ્વારા આજે જાહેરાત કરાઈ છે.
સી.એન.જી. હવેના સમયમાં અત્‍યંત આવશ્‍યક ઈંધણ બની ગયેલ છે. કાર સહિત મોટાભાગના વાહનો સી.એન.જી. વડે ચાલી રહ્યા છે.સી.એન.જી. ઈંધણ પર્યાવરણ બચાવે છે તેમજ પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ કરતા કિંમત પણ ઓછી છે તેથી સી.એન.જી. સંચાલિત 75 ટકા જેટલા વાહનો દોડી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ પ્રતિક હડતાલ પાડી હતી. સંચાલકો દ્વારા સામુહિક અચોક્કસ મુદતી હડતાલ પાડવાનું કારણ એ છે કે ડીલર્સો માર્જીન વધારાની માંગ કરી રહ્યા છે. છેલ્લા 55 મહિનાથી ડીલર્સ માર્જીન-કમિશનમાં વધારો કરાયો નથી. ફેડરેશનએ કમિશન વધારાની માંગણી માટે 1 દિવસની અગાઉ પ્રતિક હડતાલ પણ પાડી હતી. તેમ છતાં વાટાઘાટો કોઈ નિષ્‍કર્સ ઉપર નહીં આવતા અંતે આગામી તા.03 માર્ચથી વલસાડ જિલ્લા સહિત રાજ્‍યના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદત સુધી હડતાલ પર ફેડરેશનની જાહેરાત મુજબ ઉતરી જનાર છે.

Related posts

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

દમણ આંટિયાવાડના સરપંચે સમુહ ભોજનનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે અનોખો સમુહલગ્ન સમારોહ યોજાયો : 97 જોડાઓએ સંતાનની હાજરીમાં લગ્નવિધિ કરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં 138 ગામોમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ગુંજન હાઈવેથી 88 બકરા ભરેલી બે ટ્રક હિંસા નિવારણ સંઘના કાર્યકરોએ ઝડપી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

Leave a Comment