March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

સી.એન.જી. પમ્‍પ ફેડરેશનની જાહેરાત અગાઉ પણ એક દિવસની પ્રતિક હડતાલ પમ્‍પ સંચાલકોએ પાડી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.28: શુક્રવાર તા.03 માર્ચથી વલસાડ જિલ્લાના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ રહેનાર છે. સમસ્‍ત ગુજરાત સી.એન.જી. પમ્‍પ સંચાલક ફેડરેશન દ્વારા આજે જાહેરાત કરાઈ છે.
સી.એન.જી. હવેના સમયમાં અત્‍યંત આવશ્‍યક ઈંધણ બની ગયેલ છે. કાર સહિત મોટાભાગના વાહનો સી.એન.જી. વડે ચાલી રહ્યા છે.સી.એન.જી. ઈંધણ પર્યાવરણ બચાવે છે તેમજ પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ કરતા કિંમત પણ ઓછી છે તેથી સી.એન.જી. સંચાલિત 75 ટકા જેટલા વાહનો દોડી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ પ્રતિક હડતાલ પાડી હતી. સંચાલકો દ્વારા સામુહિક અચોક્કસ મુદતી હડતાલ પાડવાનું કારણ એ છે કે ડીલર્સો માર્જીન વધારાની માંગ કરી રહ્યા છે. છેલ્લા 55 મહિનાથી ડીલર્સ માર્જીન-કમિશનમાં વધારો કરાયો નથી. ફેડરેશનએ કમિશન વધારાની માંગણી માટે 1 દિવસની અગાઉ પ્રતિક હડતાલ પણ પાડી હતી. તેમ છતાં વાટાઘાટો કોઈ નિષ્‍કર્સ ઉપર નહીં આવતા અંતે આગામી તા.03 માર્ચથી વલસાડ જિલ્લા સહિત રાજ્‍યના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદત સુધી હડતાલ પર ફેડરેશનની જાહેરાત મુજબ ઉતરી જનાર છે.

Related posts

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મેડી મિત્રા એનજીઓ દ્વારા કેન્‍સર અવેરનેસ અને અર્લી ડિટેકશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

Leave a Comment