Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

સી.એન.જી. પમ્‍પ ફેડરેશનની જાહેરાત અગાઉ પણ એક દિવસની પ્રતિક હડતાલ પમ્‍પ સંચાલકોએ પાડી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.28: શુક્રવાર તા.03 માર્ચથી વલસાડ જિલ્લાના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ રહેનાર છે. સમસ્‍ત ગુજરાત સી.એન.જી. પમ્‍પ સંચાલક ફેડરેશન દ્વારા આજે જાહેરાત કરાઈ છે.
સી.એન.જી. હવેના સમયમાં અત્‍યંત આવશ્‍યક ઈંધણ બની ગયેલ છે. કાર સહિત મોટાભાગના વાહનો સી.એન.જી. વડે ચાલી રહ્યા છે.સી.એન.જી. ઈંધણ પર્યાવરણ બચાવે છે તેમજ પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ કરતા કિંમત પણ ઓછી છે તેથી સી.એન.જી. સંચાલિત 75 ટકા જેટલા વાહનો દોડી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ પ્રતિક હડતાલ પાડી હતી. સંચાલકો દ્વારા સામુહિક અચોક્કસ મુદતી હડતાલ પાડવાનું કારણ એ છે કે ડીલર્સો માર્જીન વધારાની માંગ કરી રહ્યા છે. છેલ્લા 55 મહિનાથી ડીલર્સ માર્જીન-કમિશનમાં વધારો કરાયો નથી. ફેડરેશનએ કમિશન વધારાની માંગણી માટે 1 દિવસની અગાઉ પ્રતિક હડતાલ પણ પાડી હતી. તેમ છતાં વાટાઘાટો કોઈ નિષ્‍કર્સ ઉપર નહીં આવતા અંતે આગામી તા.03 માર્ચથી વલસાડ જિલ્લા સહિત રાજ્‍યના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદત સુધી હડતાલ પર ફેડરેશનની જાહેરાત મુજબ ઉતરી જનાર છે.

Related posts

સંઘપ્રદેશમાં રખડતા ઢોરોના ત્રાસને દુર કરવા પ્રશાસન દ્વારા ભરાનારા ચાંપતા પગલાં

vartmanpravah

વલસાડમાં 13 વર્ષિય કિશોરીનું ડેન્‍ગ્‍યુની સારવારમાં કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

સંદર્ભઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમનું ખાનગીકરણ_ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના દરેક નિર્ણયમાં દાનહ અને દમણ-દીવનું વિશાળ હિત સંકળાયેલું રહે છે ત્‍યારે…

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

ચીખલી બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

Leave a Comment