Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

સી.એન.જી. પમ્‍પ ફેડરેશનની જાહેરાત અગાઉ પણ એક દિવસની પ્રતિક હડતાલ પમ્‍પ સંચાલકોએ પાડી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.28: શુક્રવાર તા.03 માર્ચથી વલસાડ જિલ્લાના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ રહેનાર છે. સમસ્‍ત ગુજરાત સી.એન.જી. પમ્‍પ સંચાલક ફેડરેશન દ્વારા આજે જાહેરાત કરાઈ છે.
સી.એન.જી. હવેના સમયમાં અત્‍યંત આવશ્‍યક ઈંધણ બની ગયેલ છે. કાર સહિત મોટાભાગના વાહનો સી.એન.જી. વડે ચાલી રહ્યા છે.સી.એન.જી. ઈંધણ પર્યાવરણ બચાવે છે તેમજ પેટ્રોલ, ડિઝલ જેવા ઈંધણ કરતા કિંમત પણ ઓછી છે તેથી સી.એન.જી. સંચાલિત 75 ટકા જેટલા વાહનો દોડી રહ્યા છે. થોડા દિવસ પહેલાં પણ સી.એન.જી. પમ્‍પ સંચાલકોએ પ્રતિક હડતાલ પાડી હતી. સંચાલકો દ્વારા સામુહિક અચોક્કસ મુદતી હડતાલ પાડવાનું કારણ એ છે કે ડીલર્સો માર્જીન વધારાની માંગ કરી રહ્યા છે. છેલ્લા 55 મહિનાથી ડીલર્સ માર્જીન-કમિશનમાં વધારો કરાયો નથી. ફેડરેશનએ કમિશન વધારાની માંગણી માટે 1 દિવસની અગાઉ પ્રતિક હડતાલ પણ પાડી હતી. તેમ છતાં વાટાઘાટો કોઈ નિષ્‍કર્સ ઉપર નહીં આવતા અંતે આગામી તા.03 માર્ચથી વલસાડ જિલ્લા સહિત રાજ્‍યના તમામ સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદત સુધી હડતાલ પર ફેડરેશનની જાહેરાત મુજબ ઉતરી જનાર છે.

Related posts

vartmanpravah

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર, યુવા અભિનવ ડેલકર અને ઈંદ્રજીત પરમાર ભાજના સક્રિય સભ્‍ય બન્‍યા

vartmanpravah

‘‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’’ નોબલ પારિતોષિક વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો. સર સી.વી. રામનની યાદમાં ઉજવાતો દિવસ

vartmanpravah

દાનહ બહુજન સમાજ પાર્ટીના લોકસભા ચૂંટણી-2024ના ઉમેદવાર સંદીપ બોરસા તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

vartmanpravah

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah

Leave a Comment