August 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે થાલા ને.હા. સ્‍થિત હોટલના કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી થતી કેમિકલ ચોરીનો કરેલો પર્દાફાશ

રૂા.22.61 લાખનું બેનઝીન કેમિકલ ભરેલ ટેન્‍કર સહિત રૂા.35.23 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.28: ચીખલી પોલીસે થાલા નેશનલ હાઈવે સ્‍થિત હોટલના કમ્‍પાઉન્‍ડમાં ટેન્‍કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ કરી રૂા.22.61 લાખનું બેનઝીન કેમિકલ ભરેલ ટેન્‍કર સહિત રૂા.35.23 લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ મળસ્‍કેના સમયે પીએસઆઈ કે.એસ.ભોયે સ્‍ટાફના મહેન્‍દ્રભાઈ, વિજયભાઈ સહિતનાઓએ પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી થાલા નેશનલ હાઈવે સ્‍થિત આઈમાતા હોટલના કમ્‍પાઉન્‍ડની ખુલ્લી પાર્કિંગવાળી જગ્‍યામાં ટેન્‍કર નં.જીજે-06-એવી-1268 નો વાલ્‍વ બોક્ષ ખોલી તેમાં ગળણી સાથેના પાઈપથી કેરબામાં બેન્‍જીન કેમિકલ કાઢવાનું કૌભાંડ ઝડપી પાડી બે કારબામાં ભરેલ બેન્‍જીન કેમિકલનો 70-લીટરનો જથ્‍થો કિંમતરૂા.6,645/- તથા ટેન્‍કરમાંનો 23,820/- લીટરનો રૂા.22,61,470/- નો જથ્‍થો અને ટેન્‍કર અને મારુતિવાન નં.-જીજે-21-9415, એક મોબાઈલ ફોન સહિત કુલ્લે રૂા.35,23,116/- નો મુદ્દામાલ કબ્‍જે કરી અજય જગદીશચંદ્ર ખટીક (રહે.જીવન જ્‍યોત એપાર્ટમેન્‍ટ થાલા બગલાદેવ મંદિરની બાજુમાં તા.ચીખલી) ને ઝડપી પાડી ટેન્‍કર ચાલક ગુડડું ઉર્ફે રૂપનારાયણ કાશી ઉપાધ્‍યાય (રહે.સુરત) તથા ભેરુનાથ (રહે.ફડવેલ તા.ચીખલી) એમ બે જેટલાને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભૂસ્‍તર વિભાગમાં સરકારની નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

vartmanpravah

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

Leave a Comment