April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળાના વિદ્યાર્થીએ અગમ્‍ય કારણોસર ફાંસી લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: દુણેઠા સ્‍થિત જવાહર નવોદય શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આજે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું હોવાની ઘટના પ્રકાશમાં આવીછે.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના ખારીવાડ ખાતે રહેતા સત્‍યમ શર્મા દુણેઠાની જવાહર નવોદય શાળામાં ધોરણ 12માં અભ્‍યાસ કરે છે, જેમણે આજે મંગળવારે શાળાના ઓરડામાં કોઈક અગમ્‍ય કારણોસર ગળે ફાંસો લગાવી હતી. ફાંસીએ લટકી રહેલા સત્‍યમ ઉપર શાળા પ્રશાસનના કર્મચારીઓની નજર પડતા તેઓએ દમણ પ્રશાસનના અધિકારીઓની મદદથી ફાંસી ઉપરથી ઉતારી હોસ્‍પિટલમાં લઈ ગયા હતા જ્‍યાં ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
ઘટનાની ખબર મળતાં દમણ પોલીસની ટીમ સ્‍થળ ઉપર પહોંચી હતી અને લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી લીધી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર આત્‍મહત્‍યા કરી તેનું કારણ જાણવા મળ્‍યું નથી. આગળની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

વસુંધરા વિદ્યાપીઠ શાળા, પરજાઈના જરૂરિયાતમંદ બાળકોને સહાયક સામગ્રી અને શાળા સબંધિત વસ્‍તુઓ પૂરી પાડવા હવેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા ‘દાન-દિપોત્‍સવ-2024’નું થયેલું સફળ આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહીના કારણેખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment