Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

અતુલ સેકન્‍ડ ગેટમાં રહેતા કેશવભાઈ પટેલ દરરોજ સવારે મંદિરે દર્શન
કરવા આવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: મૃત્‍યુ ક્‍યારે અને કેવી રીતે આવે તેની તિથિ કે સમય નક્કી નથી. કંઈક આજે મંગળવારે પારનેરા ડુંગર ઉપર મહાદેવજીના દર્શન બાદ શિવલીંગનો અભિષેક કરી રહેલા ભક્‍તને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડેલા અને વૈકુંઠધામ સિધાવ્‍યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અતુલ સેકન્‍ડ ગેટ રહેતા કિશોરભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી દરરોજ સવારે પારનેરા ડુંગર સ્‍થિત મહાદેવ મંદિરમાં આરતી-પુજા, દર્શન કરવા નિયમિત જતા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ મહાદેવ દર્શન કરવા ગયા હતા. આરતી પુરી થયા બાદ તેઓ શિવલીંગને અભિષેક કરી રહ્યા હતા ત્‍યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા ત્‍યાંજ ઢળી પડયા હતા. ઉપસ્‍થિત ભક્‍તો પૈકી એકએ કિશોરભાઈને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ અફસોસ તેઓને બચાવી શકાયા નહોતા. ભક્‍તોનું ભગવાનના દ્વારા જ કાયમી મિલન સર્જાઈ ચૂક્‍યુંહતું. ઉપસ્‍થિત ભાવિકો સહિત પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Related posts

ગોવા બેડમિન્‍ટ એસો. દ્વારા આયોજીત સ્‍ટેટ રેંકિંગ ટુર્નામેન્‍ટમાં દમણના પાર્થ જોષીનું ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

વાઇસ એડમિરલ એમ.એ.હમ્‍પીહોલીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું લક્ષદ્વીપના કવરત્તી ખાતે આગમન : અધિકારીઓ સાથે શરૂ થયેલોચર્ચા-વિચારણાનો દોર

vartmanpravah

વલસાડ જિલ્લામાં મે માસના સ્‍વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ

vartmanpravah

દમણ ન.પા.ના અધ્‍યક્ષ તરીકે અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે રશ્‍મિ હળપતિનો બિનહરિફ વિજય

vartmanpravah

Leave a Comment