October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

અતુલ સેકન્‍ડ ગેટમાં રહેતા કેશવભાઈ પટેલ દરરોજ સવારે મંદિરે દર્શન
કરવા આવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: મૃત્‍યુ ક્‍યારે અને કેવી રીતે આવે તેની તિથિ કે સમય નક્કી નથી. કંઈક આજે મંગળવારે પારનેરા ડુંગર ઉપર મહાદેવજીના દર્શન બાદ શિવલીંગનો અભિષેક કરી રહેલા ભક્‍તને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડેલા અને વૈકુંઠધામ સિધાવ્‍યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અતુલ સેકન્‍ડ ગેટ રહેતા કિશોરભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી દરરોજ સવારે પારનેરા ડુંગર સ્‍થિત મહાદેવ મંદિરમાં આરતી-પુજા, દર્શન કરવા નિયમિત જતા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ મહાદેવ દર્શન કરવા ગયા હતા. આરતી પુરી થયા બાદ તેઓ શિવલીંગને અભિષેક કરી રહ્યા હતા ત્‍યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા ત્‍યાંજ ઢળી પડયા હતા. ઉપસ્‍થિત ભક્‍તો પૈકી એકએ કિશોરભાઈને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ અફસોસ તેઓને બચાવી શકાયા નહોતા. ભક્‍તોનું ભગવાનના દ્વારા જ કાયમી મિલન સર્જાઈ ચૂક્‍યુંહતું. ઉપસ્‍થિત ભાવિકો સહિત પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Related posts

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ધામધૂમથી અને ભીની આંખે બાપ્‍પાને આપવામાં આવી વિદાય

vartmanpravah

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

vartmanpravah

Leave a Comment