April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

અતુલ સેકન્‍ડ ગેટમાં રહેતા કેશવભાઈ પટેલ દરરોજ સવારે મંદિરે દર્શન
કરવા આવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: મૃત્‍યુ ક્‍યારે અને કેવી રીતે આવે તેની તિથિ કે સમય નક્કી નથી. કંઈક આજે મંગળવારે પારનેરા ડુંગર ઉપર મહાદેવજીના દર્શન બાદ શિવલીંગનો અભિષેક કરી રહેલા ભક્‍તને હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડેલા અને વૈકુંઠધામ સિધાવ્‍યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
અતુલ સેકન્‍ડ ગેટ રહેતા કિશોરભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી દરરોજ સવારે પારનેરા ડુંગર સ્‍થિત મહાદેવ મંદિરમાં આરતી-પુજા, દર્શન કરવા નિયમિત જતા હતા. આજે સવારે તેઓ રાબેતા મુજબ મહાદેવ દર્શન કરવા ગયા હતા. આરતી પુરી થયા બાદ તેઓ શિવલીંગને અભિષેક કરી રહ્યા હતા ત્‍યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા ત્‍યાંજ ઢળી પડયા હતા. ઉપસ્‍થિત ભક્‍તો પૈકી એકએ કિશોરભાઈને સી.પી.આર. આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ અફસોસ તેઓને બચાવી શકાયા નહોતા. ભક્‍તોનું ભગવાનના દ્વારા જ કાયમી મિલન સર્જાઈ ચૂક્‍યુંહતું. ઉપસ્‍થિત ભાવિકો સહિત પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Related posts

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા સંઘપ્રદેશ થ્રીડીને ટીબીમુક્‍ત કરવા કરેલા પ્રયાસ અંતર્ગત મળેલો સિલ્‍વર મેડલ : ફરી એકવાર પ્રદેશની આરોગ્‍ય સેવાનો રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો

vartmanpravah

પીપલસેત ખાતે નવનિર્મિત આંગણવાડીના મકાન-નંદઘરનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

Leave a Comment