June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના તલાવચોરા રાજા ફળીયાની 22-વર્ષીય પ્રિયંકાબેનના લગ્ન 23-ફેબ્રુઆરીના રોજ યોજવાના હતા. તેના ચાર દિવસ પૂર્વે તેનાઘરની પાછળ તળાવના પાણીમાંથી તેની લાશ મળી આવી હતી. જેમાં શરૂઆતમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી. મરનાર યુવતીનો ફોન ફોરમેટ મારી તમામ ડેટા ડીલીટ કરી દેવાયા હતા. જેથી ડેટાની રિકવરી માટે પોલીસ દ્વારા ફોન સાયબર સેલમાં મોકલવામાં આવેલ છે.
આ દરમ્‍યાન પોલીસે સાદકપોર ગોલવાડમાં રહેતા એક યુવકની પુછપરછ હાથ ધરી હતી. આ યુવકે બનાવની રાત્રીએ અગિયારેક વાગ્‍યાના અરસામાં યુવતી સાથે ફોન પર વાત કરી હતી. જોકે આ યુવક તે સમયે ખેરગામના નાંધઇ ભૈરવી વિસ્‍તારમાં હતો અને તેની સાથે હાજર અન્‍ય બે મિત્રોના પણ પોલીસે નિવેદન લઇ તપાસ કરી રહી છે.
જોકે સમગ્ર મામલે પીએમ રિપોર્ટ પણ પાણીમાં ડૂબી જવાથી જ મોત નીપજ્‍યું હોવાનો આવ્‍યો છે. ત્‍યારે હવે મોબાઈલના ડેટા રિકવર થાય તેના પર મુખ્‍ય મદાર રહેશે પોલીસે તલાવચોરા રોડ પરના બનાવની રાત્રીના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્‍યા છે. ત્‍યારે યુવતીએ તળાવમાં મોતની છલાંગ જાતે લગાવી હશે કે પછી તે માટે તેને મજબુર કરવામાં આવી હશે કે પછી કોઈકે ધક્કો માર્યો હશે? તેવા અનેક સવાલો આજે પણ વણ ઉકેલ્‍યા છે. ત્‍યારે પોલીસ ગંભીરતા દાખવી સાચી હકીકત બહાર લાવી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરે અનેએક આશાસ્‍પદ યુવતીના અપમૃત્‍યુની સાચી વિગત બહાર આવે તે જરૂરી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

વરસાદના વિરામ બાદ વલસાડ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય તંત્રની 581 ટીમો કાર્યરત

vartmanpravah

નેશનલ કુંગ ફુ ચેમ્‍પિયનશિપમાં નવસારીની આશ્રમશાળાનાં વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

દમણ જિલ્લા પરિવહન વિભાગ દ્વારા માર્ગ અકસ્‍માતની તપાસના વિષયમાં પોલીસકર્મીઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment