July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: મંગળવારની સાંજના ચારેક વાગ્‍યાના અરસામાં કુકેરી ગામના રેલ્‍વે ફળિયામાં રહેતા અરવિંદભાઈ છીબાભાઈ હળપતિ (ઉ.વ.55) તેમના ઘરના ઓટલા પર સુતા હતા. તે દરમ્‍યાન અચાનક ઘરની દીવાલ ધરાશયી થતાં દબાઈ જવાથી ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતુ. જ્‍યારે ઈજાગ્રસ્‍ત તેમની પત્‍ની સુખીબેન હળપતિને 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું પણ સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. શ્રમજીવી પરિવારના દંપતિના મોતથી સ્‍થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સરપંચ,તલાટી સહિતનાઓ પંચકયાસ સહિતની કાર્યવાહી કરી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ ઉપરાંત ઘેજ ગામના ઝાડી ફળિયામાં અશ્વિનભાઈ પ્રેમાભાઈ પટેલના ઘર પર ઝાડ પડતા ઘરને વ્‍યાપક નુક્‍સાન થવા સાથે તેમને ઈજા થતાં સારવાર અર્થે ધરમપુરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. તાલુકામાં વરસાદ વચ્‍ચે સોલધરા નાયકીવાડ પેલાદ અને તલાવચોરા બારોલીયા પીપળા ફળિયાથી સંજય ફાર્મ તરફ જતા માર્ગ પર લો-લેવલ કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નંબર 9માં રસ્‍તાઓની દુર્દશાના કારણે સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રિક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણના આંટિયાવાડ ખાતે થયેલ હત્‍યાના પ્રયાસમાં આરોપી વિજય રાવતને પાંચ વર્ષની કેદ

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment