December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: મંગળવારની સાંજના ચારેક વાગ્‍યાના અરસામાં કુકેરી ગામના રેલ્‍વે ફળિયામાં રહેતા અરવિંદભાઈ છીબાભાઈ હળપતિ (ઉ.વ.55) તેમના ઘરના ઓટલા પર સુતા હતા. તે દરમ્‍યાન અચાનક ઘરની દીવાલ ધરાશયી થતાં દબાઈ જવાથી ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતુ. જ્‍યારે ઈજાગ્રસ્‍ત તેમની પત્‍ની સુખીબેન હળપતિને 108 ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવતા તેમનું પણ સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. શ્રમજીવી પરિવારના દંપતિના મોતથી સ્‍થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. સરપંચ,તલાટી સહિતનાઓ પંચકયાસ સહિતની કાર્યવાહી કરી બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ ઉપરાંત ઘેજ ગામના ઝાડી ફળિયામાં અશ્વિનભાઈ પ્રેમાભાઈ પટેલના ઘર પર ઝાડ પડતા ઘરને વ્‍યાપક નુક્‍સાન થવા સાથે તેમને ઈજા થતાં સારવાર અર્થે ધરમપુરની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. તાલુકામાં વરસાદ વચ્‍ચે સોલધરા નાયકીવાડ પેલાદ અને તલાવચોરા બારોલીયા પીપળા ફળિયાથી સંજય ફાર્મ તરફ જતા માર્ગ પર લો-લેવલ કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો.

Related posts

સેલવાસ પ્રમુખ ગાર્ડનમાં બે સખી મિત્રો દ્વારા શરૂ કરાયેલ યોગ શિબિરનો 50થી વધુ મહિલાઓ લઈ રહી છે લાભ

vartmanpravah

દાનહમાં દમણગંગા કિનારે તથા ગામડાઓમાં નહેર કાંઠે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારતીયોએ કરેલું પૂજન-અર્ચન

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

Leave a Comment