March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા


સવારે 7 વાગ્‍યાના આજુબાજુ હત્‍યારાઓએ સ્‍કોર્પિયોમાં બેઠેલા શૈલેષ પટેલની ગોળી મારીને કરેલી હત્‍યા

મૃતકના પરિવારજનોએ કોચરવાના સદિયો ઉર્ફે શરદ પટેલ, મિતેશ પટેલ વગેરેના આરોપી તરીકે આપેલા નામો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.08: વાપી તાલુકા ભાજપ સંગઠનમાં ઉપ પ્રમુખ તરીકે હોદ્દે સંભાળતા કોચરવા ગામના વતની શૈલેષ પટેલ સોમવારે 7 વાગ્‍યાના સુમારે રાતા શિવ મંદિરે પત્‍ની સાથે દર્શન કરવા આવ્‍યા હતા તે દરમિયાન બાઈક ઉપર આવેલા ચાર ઈસમોએ સ્‍કોર્પિયોમાં સ્‍ટેયરીંગ ઉપર બેઠેલા શૈલેષ પટેલનું ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરી સરાજાહેરમાં હત્‍યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી તાલુકા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ શૈલેષ પટેલ આજે સોમવારે તેમની પત્‍ની સાથે સવારે 7 વાગ્‍યાના સુમારે રાતા શિવ મંદિરમાં દર્શન કરવા આવ્‍યા હતા. તેઓ સ્‍કોર્પિયોમાં ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા હતા ત્‍યારે બે બાઈક ઉપર આવેલા ચાર જેટલા ઈસમોએ અંધાધૂંધ ફાયરીંગ કરીને શૈલેષ પટેલને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ત્રણ જેટલી ગોળી શૈલેષ પટેલને વાગી હતી. ઘટનાના અવાજથી પત્‍ની પરિવાર મંદિરમાં બહાર આવી બુમાબુમ કરી મુકી હતી. તાત્‍કાલિક લોહીમાં લથપથ શૈલેષ પટેલને વાપીની હરિયા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જ્‍યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરાયા હતા. ઘટના બાદ ભાજપના કાર્યકરો સાંત્‍વના આપવા દોડી આવ્‍યા હતા. પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી જઈને નાકાબંધી કરી તપાસ ચાલુ કરી હતી. પરિવારજનોએ માંગ કરી હતી કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ મળવાઆવશે બાદમાં જ મૃતદેહને લઈ જવાશે. સન 2013ની જુની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાનું મનાઈ રહ્યું છે.

Related posts

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

ચીખલી પોલીસે સાડદવેલથી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડયોઃ અન્‍ય બે વોન્‍ટેડ

vartmanpravah

નાની વહિયાળ ગામે મામા-માસી પરિવાર સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment