(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.06
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પ્લોટ નં.2337, ક્રિષ્નાનગર, સોળસુંબા ખાતે રહેતા અને ઉત્તરપ્રદેશના જી. પ્રતાપનગર, તા. રાનીગંજના, ઇમલીડાંડ, લક્ષ્મીપોર મૂળ રહેવાસી ક્રિષ્ના રામસિંગ યાદવ તા.22/5/2022ના રોજ રાત્રે 9-00 વાગ્યે પોતાના ઘરેથી ભરુચના દહેજ ખાતે આવેલી યુબેચ કલર્સ પ્રા.લી કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા જાઉં છું કહીને કોઈ અગમ્ય કારણસર જતા રહ્યાં છે, જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી. ગુમ થનારની ચાઇ 5 ફૂટ 4 ઇંચ, રંગે ઘંઉવર્ણ, મધ્યમ બાંધો તથા લંબગોળ ચહેરો છે. તેમણે શરીરે સફેદ કલરની ટી-શર્ટ તથા કમરે કાળા કલરનો ટ્રેકપેન્ટ પહેરેલો છે. જે ગુજરાતી, હિન્દી તથા મરાઠી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જો કોઈને ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous post