February 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના નોગામા ગામે તળાવમાંથી મોટા પાયે માટી ઉલેચાતા સ્‍થાનિકો દ્વારા નજીકમાં આવેલા ઘરો અને ખેતીની જમીન ઘસી જવાની દહેશત વ્‍યક્‍ત કરી ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરી તપાસની માંગકરવામાં આવી હતી. આ સંદર્ભે સ્‍થળ સ્‍તિતિનો પંચકયાસ સાથે પ્રાંત અધિકારી દ્વારા મદદનીશ ભૂસ્‍તર શાષાીની કચેરીને અહેવાલ સુપ્રત કરવામાં આવ્‍યો છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સ્‍થાનિકોની લેખિત રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્‍થ તપાસ કરી સ્‍થળ પર એટલે કે તળાવમાં જરૂરી માપણી કરી ખરેખર કેટલા ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવેલ છે અને કેટલા મેટ્રિક ટનની મંજૂરી સામે ખરેખર કેટલા મેટ્રિક ટન માટી ઉલેચવામાં આવી છે. તે હકીકત બહાર લાવી માટી ઉલેચનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે જોવું રહ્યું.
નવસારીના મદદનીશ ભૂસ્‍તર શાષાી પી.આર. ખાંભલાના જણાવ્‍યાનુસાર નોગામા ગામે તળાવમાંથી માટી ખનન અંગેનો પ્રાંત અધિકારીશ્રીનો અહેવાલ મળ્‍યો નથી. અહેવાલ મળ્‍યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

Related posts

નવસારી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્‍ટર વિરલ રાજપૂતે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાતઃ જ્ઞાનની પરબ શરૂ કરવા બદલ સરપંચશ્રીને આપેલા અભિનંદન

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

Leave a Comment