Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના નોગામા ગામે તળાવમાંથી મોટા પાયે માટી ઉલેચાતા સ્‍થાનિકો દ્વારા નજીકમાં આવેલા ઘરો અને ખેતીની જમીન ઘસી જવાની દહેશત વ્‍યક્‍ત કરી ઉચ્‍ચકક્ષાએ લેખિત રજૂઆત કરી તપાસની માંગકરવામાં આવી હતી. આ સંદર્ભે સ્‍થળ સ્‍તિતિનો પંચકયાસ સાથે પ્રાંત અધિકારી દ્વારા મદદનીશ ભૂસ્‍તર શાષાીની કચેરીને અહેવાલ સુપ્રત કરવામાં આવ્‍યો છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સ્‍થાનિકોની લેખિત રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્‍થ તપાસ કરી સ્‍થળ પર એટલે કે તળાવમાં જરૂરી માપણી કરી ખરેખર કેટલા ઘનમીટર માટીનું ખોદકામ કરવામાં આવેલ છે અને કેટલા મેટ્રિક ટનની મંજૂરી સામે ખરેખર કેટલા મેટ્રિક ટન માટી ઉલેચવામાં આવી છે. તે હકીકત બહાર લાવી માટી ઉલેચનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે તે જોવું રહ્યું.
નવસારીના મદદનીશ ભૂસ્‍તર શાષાી પી.આર. ખાંભલાના જણાવ્‍યાનુસાર નોગામા ગામે તળાવમાંથી માટી ખનન અંગેનો પ્રાંત અધિકારીશ્રીનો અહેવાલ મળ્‍યો નથી. અહેવાલ મળ્‍યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

Related posts

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

‘વિશ્વ આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે કાઢેલી વિશાળ બાઈક-કાર રેલીઃ જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

vartmanpravah

પ્રદેશના ગુમનામ રતનને ફરી પ્રકાશિત કરતું દાનહ પ્રશાસન દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાના નેતૃત્‍વમાં જિલ્લા પ્રશાસને વયોવૃદ્ધ જમુનીબેન વરઠાના ઘરે જઈ કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment