October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

સંજાણ ઉમરગામ રોડ ઉપરની સોનાની લંગડી સમાન જમીનને હડપ કરવા કમ્‍પાઉન્‍ડ કરીકારસો રચનાર ચાર સામે કલેક્‍ટરના દરબારમાં કરેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના પળગામ પંચાયત હદમાં સંજાણ ઉમરગામ રોડને અડીને સર્વે નંબર 746 (જુનો સર્વે નંબર 61/2/પૈકી) ની 26 ગુંમઠા જમીન શિશિરભાઈ વસંતભાઈ સંજાણવાળાના નામે ચાલી આવે છે. આ જમીન ઉપર લાગુ જમીનના માલિક રાજેશ હિમંતલાલ સરવૈયા, ઉમરસિં નરસિં શેઠિયા, રજનીકાંત મગનભાઈ વોરા, અને ગિરીશ પુરષોત્તમ ગોરીએ અરજદારની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કમ્‍પાઉન્‍ડ કરી કબજે કરી દીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્‍યો છે. આ લાગુ જમીન અરજદાર પાસેથી 2008માં કાયદેસરના રજીસ્‍ટર વેચાણ દસ્‍તાવેજથી ખરીદ કરેલ છે જેનો નવો સર્વે નંબર 726 (જુનો સર્વે નંબર 47) જેનું ક્ષેત્રફળ હેક્‍ટર 1-42-14 ચોરસ મીટર છે. આ જમીન અરજદાર અર્થાત મૂળ માલિકે બિનખેતી કરાવી વેચાણ કરેલ છે.
આ જમીન રેસિડેન્‍ટ પ્‍લોટ તરીકે જે તે સમયે બિન ખેતીમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે. જેનો જમીન નકશો જોતા ચિત્ર સ્‍પષ્ટ સામે આવી રહ્યું છે. હાલમાં આ જમીનનો રિવાઈઝ પ્‍લાન મંજૂર કરવા માટે કલેક્‍ટરના દરબારમાં રજૂ કરવામાં આવેલો છે. જેની સામે મૂળ માલિકના પાવરદાર શ્રી વિપુલ જી પટેલે વાંધો રજૂ કરી રિવાઈઝ પ્‍લાન મંજૂર નહીં કરવાઅરજી કરી છે. અરજીમાં કલેકટરનું ધ્‍યાન દોરતા સામેવાળા વ્‍યક્‍તિઓએ અરજદારની જમીનમાં અતિક્રમણ કરી બળજબરી અને દાદાગીરીથી તેમજ ધાક ધમકી આપી જમીન માલિકની પરવાનગી વગર તારખુટાનું કમ્‍પાઉન્‍ડ કરી દીધું હોવાનુ જણાવ્‍યુ છે. આ ઉપરાંત સામેવાળા વ્‍યક્‍તિઓ મનમાંની ચલાવતા તેમજ પૈસા અને રાજકીય પાવરના જોરે ધમકાવી ‘‘આ તમારી જમીન અમો કોઈપણ હિસાબે પચાવીને રહીશું તમારાથી થાય તે કરી લો અમારું કોઈ બગાડી શકવાનુ નથી અમે સરકારી રેકર્ડને રફેદફે કરવા જેટલો પાવર ધરાવીએ છે” એવી ધમકી આપી હોવાનુ જણાવ્‍યુ છે. અરજદારે સામાવાળાઓએ ઉપજાવી કાઢેલા ખાતા નંબર 401 ના 7/12 અને 8અ ના પાહણી પત્રક રજૂ કરી કલેકટરશ્રીનુ ધ્‍યાન દોર્યું છે. આમ આ ઘટનામાં એન એ જમીની નકસા અને કાગળો જોતા ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ ગુનાહિત કળત્‍ય થઈ રહ્યું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

Related posts

સરીગામ પંચાયતમાં સામાન્‍ય સભાની બેઠકના મુદ્દે તલાટી અને સરપંચ વચ્‍ચે જોવા મળેલીવિરોધાભાસ નિતિ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

સરીગામ પંચાયતમાં ઉપસરપંચ પદે સંજયભાઈ બાડગા બિનહરીફ વિજેતા રાકેશભાઈ રાયનામાર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતોલ વિકાસની નેમ સાથે સરપંચ સહદેવભાઈ વઘાત અને ઉપ સરપંચ સંજયભાઈ બાડગાએ સંભાળેલો ચાર્જ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment