January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે લૂંટની ઘટનામાં સામેલ ત્રણ આરોપીની કરેલી ધરપકડ

ઝડપાયેલા આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીના વાસોણા ગામે ઘરની અંદર ઘુસી ત્રણ અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ ચાકુ બતાવી ઘરના રૂમમાં રહેતા વ્‍યક્‍તિઓ પાસેથી મોબાઈલ અને રોકડા પાંચહજાર રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે દિનેશકુમાર રામકનીલમન કોલ રૂમ નંબર 14, વાસોણા જેઓએ પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે સેલવાસ પોલીસે આઇપીસી 392, 457, 34 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મજુબ રૂમમાં સાથે રહેતા જેઠીયા પગુ જનાથીયા રહેવાસી વાસોણા જેના નિવેદન મુજબ ત્રણ અજાણ્‍યા વ્‍યક્‍તિ વિરુદ્ધ આરોપ લગાવ્‍યો હતો કે રાતના સમયે અજાણ્‍યા વ્‍યક્‍તિ રૂમમાં ઘુસી ચાકુ બતાવી ત્રણ મોબાઈલ અને રોકડા પાંચ હજાર રૂપિયાની ચોરી કરી હતી. આ કેસની વધુ તપાસ બી.એમ.વસાવાને સોંપવામા આવી હતી. સેલવાસ એસ.એચ.ઓ.ના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી તપાસ દરમ્‍યાન ત્રણ આરોપી જેમાં (1)પ્રવીણ લાહનુ દોડીયા (ઉ.વ.31) રહેવાસી ડુંગરીપાડા- દપાડા (2)સચિન લાડક ધપસા (ઉ.વ.18) રહેવાસી ફરારપાડા- ધાપસા અને (3)તુળજી છનિયા ધાપસા (ઉ.વ.30) રહેવાસી ડુંગરીપાડા-દપાડા જેઓની પોલીસે ધરપકડ કરી હતી. તેઓ પાસેથી ત્રણ મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્‍યા છે અને આગળની વધુ તપાસ ચાલી રહી છે.
અત્રે યાદ રહે કે, ત્રણ આરોપીમાંથી એક પ્રવીણ લાહનુ દોડીયા વિરુદ્ધ અગાઉ પણ ચોરી, લૂંટ અને બળાત્‍કાર સહિતના ચાર અન્‍ય કેસો સેલવાસ અને દમણમાં નોંધાયેલા છે.

Related posts

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

પારડીમાં ઠેર ઠેર હોલીકા દહનની ઉજવણી: પર્યાવરણને ધ્‍યાનમાં લઈ વૈદિક હોળી પ્રગટાવાઈ

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

ચીખલી તાલુકાના આમધરામાં 1પમા નાણાપંચના ડામર રોડના કામોમાં ભ્રષ્‍ટાચાર થયો હોવાની સ્‍થાનિકોએ ટીડીઓને રજૂઆતકરી તપાસની માંગ કરી

vartmanpravah

Leave a Comment