September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

તલાસરી પોલીસ તંત્રની તપાસમાં શાળાએ જતી બાળકીનું અપહરણ કરી બળાત્‍કાર ગુજાર્યા બાદ ગળુ દબાવી હત્‍યા કરી હોવાનું બહાર આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ તાલુકાના વંકાસ ગામની હદમાં ભિલાડ સંજાણ રોડ ઉપરથી 10 વર્ષની બાળકીની હત્‍યા કરેલી લાશ મળી આવી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં મહારાષ્‍ટ્ર તલાસરી આમગામ પાટીલપાડા જિલ્લા પંચાયત પ્રાથમિક અને માધ્‍યમિક શાળામાં અભ્‍યાસ કરતી બાળકી ગતરોજ સવારના 9:00 કલાકે શાળાએ જવા નીકળી હતી. શાળાએ ગયેલી બાળકી પરત ન આવતા પરિવારજનોએ સગા સંબંધીઓને ત્‍યાં શોધખોળ કરી પણ પત્તો ન લાગતા તલાસરી પોલીસ તંત્રને ફરિયાદ આપી હતી. આ ઘટનાની ગંભીરતા લઈ તલાસરી પોલીસેપાલઘર જિલ્લા પોલીસ વડા શ્રી બાલા સાહેબ પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંકજ શિરસાઠ તેમજ તલાસરી ઉપવિભાગ પોલીસ શ્રી સંજીવ પીપલે ના માર્ગદર્શન હેઠળ પોલીસ નિરીક્ષક શ્રી અજય વસાવા અને એમની ટીમે કુશળતા પૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં ઘરથી શાળા સુધી પહોંચવાના અંતરમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી બાળકીને બાઈક ઉપર બેસાડી લઈ જતો હોવાનું ચિત્ર સામે આવ્‍યું, જેનો આધાર બનાવી તપાસ આગળ વધારતા પોલીસ તંત્રની ટીમને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસ તંત્રની ટીમે આરોપી ઘરેથી ભાગવામાં સફળ થાય એ પહેલા રાત્રિના સમયે જ આરોપીને દબોચી લીધો હતો. શકંજામાં આવેલા શંકાસ્‍પદ ઈસમ રમેશ દુબળા ઉંમર વર્ષ 45ની કડકાઈ પૂર્વક પૂછપરછ હાથ ધરતા આરોપીએ ગુનાની કબુલાત કરી હતી. પૂછપરછમાં બાળકીનું બાઈક ઉપર અપહરણ કરી છ થી સાત કિલોમીટર દૂર ગુજરાતની હદમાં એકાંત સ્‍થળે લાવી બળાત્‍કાર ગુજાર્યો હતો અને ત્‍યારબાદ બાળકીનું ગળુ દબાવી હત્‍યા કરી હોવાની ઘટના બહાર આવવા પામી હતી. તલાસરી પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરતા બાળકીની લાશ મળી આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી જવા પામ્‍યો છે.

Related posts

જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું: રોહિણામાં ઘર બનાવવા પૈસા માંગનારા પુત્રને પિતાએ કુહાડીથીફ રહેંસી નાખ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો દબદબાભેર પ્રારંભ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ

vartmanpravah

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

Leave a Comment