Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી પ્રદેશના કેટલાક પડતર પ્રોજેક્‍ટોમાં નવી ગતિ આવવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિહી, તા.02 : કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્‍છા મુલાકાત લઈ પ્રદેશ સાથે સંકળાયેલા વિવિધ અગત્‍યના મુદ્દાઓ ઉપર વિચાર-વિમર્શ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, આરોગ્‍ય સુવિધા અને આરોગ્‍ય શિક્ષણના ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવે આકાશને આંબતી પ્રગતિ કરી છે. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ અને મરવડ હોસ્‍પિટલના નવનિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે છે. સેલવાસની નમો મેડિકલ કોલેજની અદ્યતન બિલ્‍ડીંગ કેમ્‍પસનું કામ પણ પૂર્ણ થઈ ચુક્‍યુ છે.
સંઘપ્રદેશની નમો મેડિકલ કોલેજને એઈમ્‍સની તર્જ ઉપર વિકસાવવાનો પ્રસ્‍તાવ પણ વિચારાધીન છે. ત્‍યારે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી કેટલાક પડતર પ્રોજેક્‍ટોને નવી ગતિ મળશે એવી આશા પ્રબળ બની છે.

Related posts

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે યુ.પી.ના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍ય નાથ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રેરણા અંતર્ગત દમણ શિક્ષણ વિભાગ દ્વારા સરસ્‍વતી વિદ્યા યોજના અંતર્ગત ધો.8ની વિદ્યાર્થીનીઓને કરાયેલું સાયકલનું વિતરણ

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

Leave a Comment