Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી પ્રદેશના કેટલાક પડતર પ્રોજેક્‍ટોમાં નવી ગતિ આવવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિહી, તા.02 : કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્‍છા મુલાકાત લઈ પ્રદેશ સાથે સંકળાયેલા વિવિધ અગત્‍યના મુદ્દાઓ ઉપર વિચાર-વિમર્શ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, આરોગ્‍ય સુવિધા અને આરોગ્‍ય શિક્ષણના ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવે આકાશને આંબતી પ્રગતિ કરી છે. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ અને મરવડ હોસ્‍પિટલના નવનિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે છે. સેલવાસની નમો મેડિકલ કોલેજની અદ્યતન બિલ્‍ડીંગ કેમ્‍પસનું કામ પણ પૂર્ણ થઈ ચુક્‍યુ છે.
સંઘપ્રદેશની નમો મેડિકલ કોલેજને એઈમ્‍સની તર્જ ઉપર વિકસાવવાનો પ્રસ્‍તાવ પણ વિચારાધીન છે. ત્‍યારે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી કેટલાક પડતર પ્રોજેક્‍ટોને નવી ગતિ મળશે એવી આશા પ્રબળ બની છે.

Related posts

દમણ પોલીસે લૂંટના ગુનામાં બે આરોપી સહિત કબ્‍જે કરેલો મુદ્દામાલ

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

vartmanpravah

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah

Leave a Comment