December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી પ્રદેશના કેટલાક પડતર પ્રોજેક્‍ટોમાં નવી ગતિ આવવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિહી, તા.02 : કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શુભેચ્‍છા મુલાકાત લઈ પ્રદેશ સાથે સંકળાયેલા વિવિધ અગત્‍યના મુદ્દાઓ ઉપર વિચાર-વિમર્શ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, આરોગ્‍ય સુવિધા અને આરોગ્‍ય શિક્ષણના ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવે આકાશને આંબતી પ્રગતિ કરી છે. શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ અને મરવડ હોસ્‍પિટલના નવનિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે છે. સેલવાસની નમો મેડિકલ કોલેજની અદ્યતન બિલ્‍ડીંગ કેમ્‍પસનું કામ પણ પૂર્ણ થઈ ચુક્‍યુ છે.
સંઘપ્રદેશની નમો મેડિકલ કોલેજને એઈમ્‍સની તર્જ ઉપર વિકસાવવાનો પ્રસ્‍તાવ પણ વિચારાધીન છે. ત્‍યારે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાથેની પ્રશાસકશ્રીની મુલાકાતથી કેટલાક પડતર પ્રોજેક્‍ટોને નવી ગતિ મળશે એવી આશા પ્રબળ બની છે.

Related posts

ચીખલીના તલાવચોરા ગામે જંગલી ભૂંડોએ ખેતરમાં ઉભા પાકને વેર વિખેર કરી નાંખતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

Leave a Comment